Site icon

 ભારતમાં બુસ્ટર ડોઝને મળી શકે છે મંજૂરી, ઓમિક્રોન મુદ્દે ડબ્લ્યુએચઓની મહત્વપૂર્ણ બેઠકમાં લેવાશે નિર્ણય; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ કેન્દ્ર સરકારને નવા પ્રકાર ઓમિક્રોનના કેસો અંગે ડોકટરો, આરોગ્ય કાર્યકરો અને સ્વચ્છતા કાર્યકરો સહિત તમામ ફ્રન્ટલાઈન કામદારોને બૂસ્ટર ડોઝ આપવા વિનંતી કરી હતી. આ સિવાય સંસદની એક સમિતિએ હાલની રસીની અસરકારકતાના મૂલ્યાંકન અને બૂસ્ટર ડોઝની જરૂરિયાત પર સંશોધનની ભલામણ કરી છે. જાે કે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ સાથે બાળકોના રસીકરણને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. જાે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે સરકાર વૈજ્ઞાનિક સલાહના આધારે બાળકોના રસીકરણ અને બૂસ્ટર ડોઝ અંગે ર્નિણય લેશે.કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને સમગ્ર વિશ્વ ચિંતામાં ગરકાવ થઈ ગયું છે. વિકસિત રાષ્ટ્રો ઉપરાંત ઘણા દેશોમાં બૂસ્ટર ડોઝની માંગ છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિષ્ણાતોના સ્ટ્રેટેજિક એડવાઈઝરી ગ્રુપની આજે બેઠક મળવા જઈ રહી છે. બેઠકમાં બુસ્ટર ડોઝને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે. મીટિંગમાં રોગપ્રતિકારક શક્તિ, અસરકારકતા, સલામતી, પુરાવાઓ પર પણ ચર્ચા થઈ શકે છે.

 

આ વર્ષે સરકારને વેરાકીય આવકમાં જંગી વધારો થતાં સરકારે ઓઇલ બોન્ડ માટે અત્યાર સુધીની સૌથી મોટી ચૂકવણી કરી; આંકડો જાણી ચોંકી જશો તમે

Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Budget Session 2026: રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં ગણાવ્યા 11 વર્ષના આર્થિક લેખાજોખા,મજબૂત બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપ્યો ભાર
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.
Exit mobile version