Site icon News Continuous Bureau | Mumbai

Ajit Pawar Plane Crash: લેન્ડિંગ વખતે એવું તો શું થયું કે અજિત પવારનું પ્લેન આગના ગોળામાં ફેરવાયું? જાણો એક્સપર્ટ્સ અને વિમાન કંપનીએ શું કર્યો દાવો.

Ajit Pawar Plane Crash:ઓછી વિઝિબિલિટી હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા; અનુભવી પાયલોટ અને સુરક્ષિત વિમાન છતાં સર્જાયો કાળમુખો અકસ્માત.

Ajit Pawar Plane Crash VSR Aviation suspects 'Low Visibility' as cause; DGCA orders high-level probe into the Baramati tragedy.

Ajit Pawar Plane Crash VSR Aviation suspects 'Low Visibility' as cause; DGCA orders high-level probe into the Baramati tragedy.

News Continuous Bureau | Mumbai

 Ajit Pawar Plane Crash: અજિત પવાર જે ચાર્ટર્ડ વિમાનમાં સવાર હતા તે દિલ્હીની કંપની VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ (VSR એવિએશન) નું હતું. કંપનીના જણાવ્યા અનુસાર, વિમાન સવારે ૮:૫૦ વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું. કંપનીએ પાયલોટની ભૂલ કે ટેકનિકલ ખામીને બદલે હવામાનને મુખ્ય કારણ ગણાવ્યું છે.

Join Our WhatsApp Channel

VSR એવિએશનની પ્રાથમિક આશંકા

કંપનીના ડાયરેક્ટર વિજય કુમાર સિંહ તરફથી મળેલી માહિતી મુજબ:
લો વિઝિબિલિટી: કંપનીને આશંકા છે કે લેન્ડિંગ સમયે રનવે પર ઓછી દૃશ્યતા (Low Visibility) ને કારણે પાયલોટ ચોક્કસ અંદાજ લગાવી શક્યા ન હોય અને વિમાન રનવેની અત્યંત નજીક ક્રેશ થયું હોય.
અનુભવી પાયલોટ: કંપનીએ દાવો કર્યો છે કે વિમાનમાં સવાર બંને પાયલોટ અત્યંત અનુભવી હતા અને વિમાન (Learjet 45) સંપૂર્ણપણે સુરક્ષિત અને ઉડાન માટે લાયક (Airworthy) હતું.

આ સમાચાર પણ વાંચો: Emotional scenes in Maharashtra: અજિત પવારના નિધન ને લઈને પરિવાર માં શોક ની લહેર, અનિલ દેશમુખ પણ થઈ ગયા ભાવુક.

દુર્ઘટનાની વિગતો અને મુસાફરો

અજિત પવાર મુંબઈથી ૪૫ મિનિટની ઉડાન ભરીને બારામતી પહોંચ્યા હતા. વિમાનમાં તેમની સાથે એક PSO (સુરક્ષાકર્મી), એક એટેન્ડન્ટ અને બે ક્રૂ મેમ્બર્સ હતા. ૨૦૧૧માં સ્થપાયેલી VSR કંપની ચાર્ટર્ડ પ્લેન્સ અને એર એમ્બ્યુલન્સ ચલાવે છે, જેનો ઉપયોગ અગાઉ પણ અનેક મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓ કરી ચૂક્યા છે.

DGCA દ્વારા સઘન તપાસ

વિમાન અકસ્માતનું સચોટ કારણ જાણવા માટે DGCA ની એક ટીમ બારામતી પહોંચી ગઈ છે. બ્લેક બોક્સ (Flight Data Recorder) ની તપાસ અને એટીસી (ATC) સાથેના પાયલોટના છેલ્લા સંવાદના આધારે અકસ્માતનું સત્ય બહાર આવશે. શું ખરેખર હવામાન જ કારણ હતું કે પછી એન્જિનમાં કોઈ ખામી સર્જાઈ હતી, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Kerala Hotel Restaurant Strike। શું ૬ મેના રોજ કેરળમાં ખાવાપીવાની તકલીફ પડશે? ગેસના ભાવ વધતા હોટલ માલિકોનું મોટું એલાન, આખા રાજ્યમાં હડતાળ
New LPG Rules 2026| એલપીજી ગ્રાહકો સાવધાન તમારું ગેસ કનેક્શન થઈ શકે છે બંધ, સરકારના નવા નિયમો આજથી લાગુ
Maharashtra Auto Marathi Rule। પરપ્રાંતીય રિક્ષા ચાલકોની મુશ્કેલી વધશે? મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા ફરજિયાત થતા ઉત્તર ભારતના નેતાઓ લાલઘૂમ, જાણો વિગત
RBI Gold Reserves Return 2026। ૧૯૯૧ જેવી સ્થિતિ હવે ભૂતકાળ સોનાના ભંડાર મામલે ભારતનો મોટો નિર્ણય, વિદેશી બેંકોમાંથી ભારત કેમ ખસેડી રહ્યું છે પોતાનું ગોલ્ડ?
Exit mobile version