Site icon News Continuous Bureau | Mumbai

Bullet Train: દેશમાં બુલેટ ટ્રેન ક્યારથી દોડશે? રેલવે મંત્રીએ આપ્યું અપડેટ, કહ્યું-ઉદ્ધવ ઠાકરેને કારણે આ પરિયોજના…

Bullet Train: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને દેશની પ્રથમ બુલેટ ટ્રેન (મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ)નું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ ટ્રેન 21 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ દ્વારા મુંબઈમાં તેના છેલ્લા સ્ટેશન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પહોંચશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈમાં ચાલી રહેલા બુલેટ ટ્રેનના કામની સમીક્ષા કરી હતી. ઉપરાંત, રેલ્વે મંત્રીએ શુક્રવારે કેન્દ્ર બિંદુ વિક્રોલી અને મુંબઈમાં બનેલ ટનલના છેલ્લા સ્ટેશન BKCનું નિરીક્ષણ કર્યું હતું.

Bullet Train India`s first bullet train will start running between Surat and Bilimora in 2026

Bullet Train India`s first bullet train will start running between Surat and Bilimora in 2026

News Continuous Bureau | Mumbai 

Bullet Train: નરેન્દ્ર મોદી સરકારમાં દેશની અંદર હાઈસ્પીડ ટ્રેનો ચલાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તેનું જ પરિણામ છે કે આજે દેશમાં અનેક વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. આ સાથે સરકાર બુલેટ ટ્રેન ચલાવવા પર પણ ખાસ ધ્યાન આપી રહી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવા માટે અમદાવાદ અને મહારાષ્ટ્રના રૂટની પસંદગી કરવામાં આવી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન આ રૂટ પર જ સ્પીડ સુધી પહોંચશે.

Join Our WhatsApp Channel

અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનના સ્ટેશનોની લીધી  મુલાકાત  

આ પ્રોજેક્ટ પર કેન્દ્ર સરકારનું ખાસ ધ્યાન છે. આ ક્રમમાં શુક્રવારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈના BKC અને વિક્રોલીના બુલેટ ટ્રેન સ્ટેશનોની મુલાકાત લીધી હતી. અહીં તેમણે મુંબઈ અને અમદાવાદ વચ્ચે દેશના પ્રથમ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે BKC સ્ટેશન પર કામ શરૂ થયાને લગભગ એક વર્ષ થઈ ગયું છે.

 2026 સુધીમાં કાર્યરત થઈ શકે છે 

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કાર્યનું નિરીક્ષણ કરતી વખતે, અશ્વિની  વૈષ્ણવે જણાવ્યું હતું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેના 508 કિલોમીટર લાંબા કોરિડોર પર સુરત-બીલીમોરા સેક્શન જુલાઈ-ઓગસ્ટ 2026 સુધીમાં કાર્યરત થઈ શકે છે. તેમણે કહ્યું, આ પછી, એક પછી એક અન્ય વિભાગો પર કામગીરી શરૂ થશે. તેમણે એ પણ માહિતી આપી હતી કે બુલેટ ટ્રેન કોરિડોરમાં ‘મર્યાદિત સ્ટોપ’ અને ‘ઓલ સ્ટોપ’ સેવાઓ હશે.

રેલ્વે મંત્રીએ કહ્યું કે મર્યાદિત સ્ટોપવાળી ટ્રેનો માત્ર બે કલાકમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર કાપશે, જ્યારે અન્ય સેવાઓમાં લગભગ 2 કલાક 45 મિનિટનો સમય લાગશે. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 12 સ્ટેશન હશે. તેનો અમલ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Mahasanskruti Mahotsav : મહાસંસ્કૄત મહોત્સવ અંતર્ગત મુંબઈમાં ‘શબરી ઉત્સવ અને બૌધ્ધ ઉત્સવ’નું આયોજન; જાણો કાર્યક્રમની રૂપરેખા ..

પ્રોજેક્ટની ધીમી ગતિ માટે  ઉદ્ધવ ઠાકરે સરકાર જવાબદાર

સાથે જ કેન્દ્રીય રેલવે પ્રધાન  ઉદ્ધવ ઠાકરે સરકારને જવાબદારઅશ્વિની વૈષ્ણવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ધીમી ગતિ માટે મહારાષ્ટ્રની તત્કાલીન ઉદ્ધવ ઠાકરે સરકારને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે જો ઠાકરે સરકારે વહેલી તકે મંજૂરી આપી હોત તો દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ઘણી પ્રગતિ થઈ ગઈ હોત.  અશ્વિની  વૈષ્ણવે કહ્યું કે કમનસીબે ઠાકરે સરકારે આ પ્રોજેક્ટમાં ઘણો વિલંબ કર્યો, પરંતુ તેઓ હવે તેની ભરપાઈ કરવાનો પ્રયાસ કરશે. મહત્વનું છે કે રાજ્યમાં એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ (શિવસેના-ભાજપ)ની સરકાર બની કે તરત જ 10 દિવસમાં પરવાનગી આપવામાં આવી. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેન દોડવાથી આર્થિક પ્રગતિ થશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022 માં, શિંદેના બળવા પછી શિવસેનામાં ભાગલા પડ્યા હતા, જેના કારણે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી. આ પછી, શિંદેએ ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી અને મુખ્ય પ્રધાન બન્યા, અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાનનો ચાર્જ સંભાળ્યો.

Ram Mandir Trust Controversy રામ મંદિર ટ્રસ્ટમાંથી હટાવ્યા બાદ ચંપત રાયનું પ્રથમ નિવેદન ‘બધા આરોપોનો જવાબ આપીશ, સત્ય સામે આવશે’
EthanolBlended Petrol ઇથેનોલબ્લેન્ડેડ પેટ્રોલ (E20) અંગેની ગેરમાન્યતાઓ શું ખરેખર ગાડીનું એન્જિન બગડી રહ્યું છે? જાણો સરકારનું સ્પષ્ટીકરણ
Archaeological Survey of India ASI પુરાતત્વ સર્વેક્ષણ અને ઐતિહાસિક પુરાવા પ્રાચીન ઇમારતોના રહસ્યો ખોલતી ASI ની પદ્ધતિ
India Critical Minerals Mission 24 દેશો સાથે કરાર, 11 દેશો સાથે વાટાઘાટ; ક્રિટિકલ મિનરલ્સમાં ભારતનો વૈશ્વિક દબદબો વધી રહ્યો છે.. જાણો
Exit mobile version