Site icon

ભારત બંધ- એક ફ્લોપ્ શો : કન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ટ્રેડર્સ નો દાવો… હડતાળની નાના વેપારીઓ પર કોઈ અસર પડી નથી..  

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
08 ડિસેમ્બર 2020 

નાના વેપારીઓનું સંગઠન કન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ટ્રેડર્સ કહે છે કે ભારત બંધની દેશની વ્યાપાર પ્રવૃત્તિઓ પર કોઈ અસર પડી નથી. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે માલના પરિવહન પર પણ કોઈ અસર થઈ નથી. સંગઠનનો દાવો છે કે હંમેશની જેમ દિલ્હી અને દેશભરમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ બપોર બાદ જ શરૂ થઈ ગઈ છે. 

Join Our WhatsApp Community

આમ પણ CAT એ ગઈકાલે જાહેરાત કરી હતી કે દેશના વેપારીઓ 8 ડિસેમ્બરે યોજાયેલા ભારત બંધમાં ભાગ નહીં લે. આ સાથે પરિવહન ક્ષેત્રના સંગઠન 'ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશને' પણ જાહેરાત કરી હતી કે દિલ્હી સહિત દેશભરના પરિવહન ક્ષેત્ર ભારત બંધમાં જોડાશે નહીં. જોકે, પરિવહન ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ભારત બંધને ટેકો આપ્યો હતો. 

અહીં જારી કરાયેલા એક નિવેદનમાં CAT ના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભારતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે દિલ્હીમાં 10 લાખથી વધુ વ્યવસાયી સંસ્થાઓ અને દેશભરમાં 7 કરોડથી વધુ વ્યવસાયિક મથકો ખુલ્લા છે અને રાબેતા મુજબ ધંધો થઈ રહ્યો છે. 

દેશના તમામ રાજ્યો, મુખ્યત્વે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગ,, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તર પૂર્વી રાજ્યો, તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, બિહાર, જમ્મુ અને કાશ્મીર વગેરે સ્થળે જથ્થાબંધ અને છૂટક બજારો સંપૂર્ણપણે ખુલ્લા રહયાં હતાં.

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
Exit mobile version