Site icon

ભારત બંધ- એક ફ્લોપ્ શો : કન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ટ્રેડર્સ નો દાવો… હડતાળની નાના વેપારીઓ પર કોઈ અસર પડી નથી..  

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
08 ડિસેમ્બર 2020 

નાના વેપારીઓનું સંગઠન કન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ટ્રેડર્સ કહે છે કે ભારત બંધની દેશની વ્યાપાર પ્રવૃત્તિઓ પર કોઈ અસર પડી નથી. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે માલના પરિવહન પર પણ કોઈ અસર થઈ નથી. સંગઠનનો દાવો છે કે હંમેશની જેમ દિલ્હી અને દેશભરમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ બપોર બાદ જ શરૂ થઈ ગઈ છે. 

Join Our WhatsApp Community

આમ પણ CAT એ ગઈકાલે જાહેરાત કરી હતી કે દેશના વેપારીઓ 8 ડિસેમ્બરે યોજાયેલા ભારત બંધમાં ભાગ નહીં લે. આ સાથે પરિવહન ક્ષેત્રના સંગઠન 'ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશને' પણ જાહેરાત કરી હતી કે દિલ્હી સહિત દેશભરના પરિવહન ક્ષેત્ર ભારત બંધમાં જોડાશે નહીં. જોકે, પરિવહન ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ભારત બંધને ટેકો આપ્યો હતો. 

અહીં જારી કરાયેલા એક નિવેદનમાં CAT ના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભારતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે દિલ્હીમાં 10 લાખથી વધુ વ્યવસાયી સંસ્થાઓ અને દેશભરમાં 7 કરોડથી વધુ વ્યવસાયિક મથકો ખુલ્લા છે અને રાબેતા મુજબ ધંધો થઈ રહ્યો છે. 

દેશના તમામ રાજ્યો, મુખ્યત્વે દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગ,, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તર પૂર્વી રાજ્યો, તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, બિહાર, જમ્મુ અને કાશ્મીર વગેરે સ્થળે જથ્થાબંધ અને છૂટક બજારો સંપૂર્ણપણે ખુલ્લા રહયાં હતાં.

Strengthening Maritime Bonds: સુરક્ષા અને સહયોગના નવા શિખરો: INS ત્રિકંડની મોરિશિયસની મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવો પ્રાણ ફૂંકાયો
LPG Crisis Relief: યુદ્ધના મેદાન વચ્ચે ભારતની જીત! હોર્મુઝના જોખમી રૂટ પરથી ભારતના ૨ જહાજોનો સુરક્ષિત માર્ગ, ગેસ સંકટ હળવું થવાના એંધાણ
Fuel Crisis 2026: ગેસ-તેલની અછતને પહોંચી વળવા સરકારની નવી વ્યૂહરચના; હોટલો-રેસ્ટોરાંમાં વૈકલ્પિક ઈંધણની મંજૂરી, જાણો રેશનિંગમાં કેરોસીનનું શું છે ગણિત.
Hapur Gas Hoarding Case: જનતા લાઈનમાં અને નેતાના ઘરે ‘બ્લેક’નો ખેલ! હાપુડમાં એલપીજી સંકટ વચ્ચે ૫૫ ગેસ સિલિન્ડરનો જથ્થો મળતા ખળભળાટ; તંત્રએ કરી કડક કાર્યવાહી
Exit mobile version