CBI Action : આર્થિક ગુનેગારો સામે સીબીઆઈની કાર્યવાહી, 2002ના આયાત-નિકાસ છેતરપિંડીના કેસમાં અમેરિકાથી ભાગેડુના પ્રત્યાર્પણમાં સફળતા મળી

CBI Action : મેસર્સ મોનિકા ઓવરસીઝના માલિક અને ભાગેડુ મોનિકા કપૂરે તેના ભાઈઓ રાજન ખન્ના અને રાજીવ ખન્ના સાથે કાવતરું રચીને વર્ષ 1998 દરમિયાન શિપિંગ બિલ, ઇન્વોઇસ અને બેંક સર્ટિફિકેટ ઓફ એક્સપોર્ટ અને રિસીટ જેવા બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા

by kalpana Verat
CBI Action CBI Gets Custody Of Economic Offender Monika Kapoor, Who Fled To US In 1999

CBI Action :  સીબીઆઈનો બે દાયકાનો પીછો આજે એટલે કે 09.07.2025ના રોજ ભાગેડુ મોનિકા કપૂરના અમેરિકાથી સફળ પ્રત્યાર્પણની સાથે સમાપ્ત થયો છે. મોનિકા કપૂર 2002માં આયાત-નિકાસ છેતરપિંડી કેસના આરોપી છે, અને ત્યારથી ફરાર હતા.

મેસર્સ મોનિકા ઓવરસીઝના માલિક અને ભાગેડુ મોનિકા કપૂરે તેના ભાઈઓ રાજન ખન્ના અને રાજીવ ખન્ના સાથે કાવતરું રચીને વર્ષ 1998 દરમિયાન શિપિંગ બિલ, ઇન્વોઇસ અને બેંક સર્ટિફિકેટ ઓફ એક્સપોર્ટ અને રિસીટ જેવા બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા અને રૂ. 2.36 કરોડના ડ્યુટી-ફ્રી સોનાની આયાત માટે 06 રિપ્લેનિશમેન્ટ લાઇસન્સ મેળવ્યા હતા. ગુનાહિત કાવતરાને આગળ ધપાવતા, તેઓએ ઉપરોક્ત રિપ્લેનિશમેન્ટ લાઇસન્સ મેસર્સ દીપ એક્સપોર્ટ્સ, અમદાવાદને હપ્તા સ્વરૂપે વેચી દીધા હતા. મેસર્સ દીપ એક્સપોર્ટ્સ, અમદાવાદે ઉપરોક્ત લાઇસન્સનો ઉપયોગ કર્યો અને ડ્યુટી ફ્રી સોનાની આયાત કરી, જેના કારણે વર્ષ 1998 દરમિયાન સરકારી તિજોરીને રૂ. 1.44 કરોડનું નુકસાન થયું હતું.

તપાસ પૂર્ણ થયા પછી, 31.03.2004ના રોજ મોનિકા કપૂર, રાજન ખન્ના અને રાજીવ ખન્ના વિરુદ્ધ IPCની કલમ 120-B r/w 420, 467, 468 અને 471 હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ સાકેત, નવી દિલ્હીએ 20.12.2017ના આદેશ દ્વારા રાજન ખન્ના અને રાજીવ ખન્નાને દોષિત ઠેરવ્યા હતા.

આરોપી મોનિકા કપૂર તપાસ અને ટ્રાયલમાં જોડાઈ ન હતી અને 13.02.2006ના રોજ ટ્રાયલ કોર્ટે તેને ભાગેડુ જાહેર કરી હતી. ટ્રાયલ કોર્ટે 26.04.2010ના રોજ ધરપકડનું ખુલ્લું બિન-જામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું હતું અને તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી હતી. સીબીઆઈ દ્વારા 19.10.2010ના રોજ યુએસ અધિકારીઓને પ્રત્યાર્પણ વિનંતી પણ મોકલવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Vadodara bridge collapse: ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાની અંગે PM મોદીએ શોક વ્યક્ત કર્યો, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી સહાયની જાહેરાત કરી 

યુએસ સત્તાવાળાઓ સાથે સઘન સંકલન પછી, સીબીઆઈની એક ટીમ ભાગેડુને કસ્ટડીમાં લેવા માટે અમેરિકા ગઈ હતી. આ પ્રત્યાર્પણ ન્યાયની દિશામાં એક મોટી સફળતા છે અને આંતરરાષ્ટ્રીય સીમાઓને ધ્યાનમાં લીધા વિના ભારતમાં ભાગેડુઓને ન્યાયના કઠેડામાં લાવવાની સીબીઆઈની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સીબીઆઈ ટીમ ભાગેડુઓને લઈને ભારત પરત ફરી રહી છે. મોનિકા કપૂરને સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવી રહી છે અને હવે તેમની સામે કેસ ચલાવવામાં આવશે.

સીબીઆઈ આર્થિક ગુનાઓ સામે લડવાના તેના મિશનમાં અડગ છે અને ભાગેડુઓને ન્યાયના કઠેડામાં લાવવા માટે તમામ કાનૂની માર્ગોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More