Site icon News Continuous Bureau | Mumbai

CAA લાગુ કરવા સરકારને હજી વધુ સમય લાગશે; ગૃહ મંત્રાલયે સંસદમાં માગી આ નવી મુદત, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

ગૃહ મંત્રાલયે સિટિઝનશિપ અમેન્ડમેન ઍક્ટ (CAA) માટે નિયમો બનાવવા માટે વધુ છ મહિનાનો સમય માગ્યો છે. મંત્રાલયે મંગળવારે સંસદને આ અંગેની જાણકારી આપી હતી. મંત્રાલયે રાજ્યસભા અને લોકસભાની સમિતિઓને 9 જાન્યુઆરી, 2022 સુધીનો સમય વધારવા કહ્યું છે. CAA પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘુમતીઓ અને સતાવાયેલા હિન્દુ, પારસી, શીખ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ સમુદાયોને ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે.

કૉન્ગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ સંસદમાં પૂછ્યું હતું કે CAA નિયમોને સૂચિત કરવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે કે નહીં? તારીખ નક્કી ન થતાં તેમણે મંત્રાલયને કારણ પૂછ્યું હતું. આ સવાલના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે CAAને 12 ડિસેમ્બર, 2019ના રોજ સૂચિત કરવામાં આવ્યો હતો અને એ10 જાન્યુઆરી, 2020ના રોજ અમલમાં આવ્યો છે.

તાનાજી માલુસરેનું આ ગામ બરબાદીને આરે; ભારે વરસાદથી ગામ સાથેનો સંપર્ક તૂટ્યો, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે દેશમાં જ્યારે CAA કાયદો ઘડાયો ત્યારે તેનો દેશભરમાં વિરોધ થયો હતો. દિલ્હીનોશાહીન બાગ વિસ્તાર આ કાયદા સામેના આંદોલનનું કેન્દ્રબિંદુ હતો. આ કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘુમતીઓ અને સતાવાયેલા હિન્દુ, પારસી, શીખ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ સમુદાયોના સ્થળાંતર કરનારા લોકો માટે નાગરિકત્વના કાયદાના નિયમોમાં ફેરફાર કરાયા હતા. અગાઉ નાગરિકત્વ માટે 11 વર્ષ ભારતમાં રહેવું જરૂરી હતું, આ સમય હવે ઘટાડીને 1થી 6 વર્ષ કરવામાં આવ્યો છે.

PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Exit mobile version