Site icon

મોટા સમાચાર / સરકારી કર્મચારીઓ માટે સરકારે બદલ્યો મોટો નિયમ, જો કરી કામચોરી તો ખતમ થઈ જશે પેન્શન અને ગ્રેચ્યુઈટી!

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય કર્મચારીઓને ડીએ અને બોનસ આપ્યા બાદ હવે સરકારે મોટો નિયમ બદલ્યો છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે કડક ચેતવણી પણ આપી છે. જો કર્મચારીઓ આની અવગણના કરશે તો તેમને નિવૃત્તિ પછી પેન્શન અને ગ્રેચ્યુઈટીથી વંચિત રહેવું પડશે.

Join Our WhatsApp Community

જો કોઈ કર્મચારી કામમાં બેદરકારી દાખવે છે તો સરકારના નવા નિયમો અનુસાર નિવૃત્તિ બાદ તેનું પેન્શન અને ગ્રેચ્યુઈટી રોકવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ આદેશ કેન્દ્રીય કર્મચારીઓને લાગુ પડશે, પરંતુ આગળ જતા રાજ્યો પણ તેનો અમલ કરી શકશે.

સરકારે જારી કર્યો આદેશ

કેન્દ્ર સરકારે તાજેતરમાં સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમ 2021 હેઠળ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે હાલમાં જ CCS (પેન્શન) નિયમો 2021 ના ​​નિયમ 8 માં ફેરફાર કર્યો હતો, જેમાં નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો કેન્દ્રીય કર્મચારી તેમના સેવા કાર્યકાળ દરમિયાન કોઈ ગંભીર ગુનાખોરીમાં દોષિત ઠરશે તો નિવૃત્તિ પછી તેની ગ્રેચ્યુઈટી અને પેન્શન રોકી દેવામાં આવશે.

નોંધનીય છે કે બદલાયેલા નિયમોની માહિતી કેન્દ્ર દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવી છે. એટલું જ નહીં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો દોષિત કર્મચારીઓની માહિતી મળે તો તેમનું પેન્શન અને ગ્રેચ્યુઇટી રોકવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે. એટલે કે આ વખતે સરકાર આ નિયમને લઈને કડક છે.

આ લોકો કરશે કાર્યવાહી
 

જાણો કેવી રીતે થશે કાર્યવાહી
 

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version