Site icon

Fire Service Expansion : કેન્દ્ર સરકારે આ રાજ્યોમાં ફાયર સેવાઓના વિસ્તરણ માટે 3 પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ફાળવશે રૂ. 725.62 કરોડ.

Fire Service Expansion : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિએ છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે "રાજ્યોમાં ફાયર સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ" હેઠળ રૂ. 725.62 કરોડના ત્રણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. સમિતિએ છત્તીસગઢ માટે રૂ. 147.76 કરોડ, ઓડિશા માટે રૂ. 201.10 કરોડ અને પશ્ચિમ બંગાળ માટે રૂ. 376.76 કરોડ મંજૂર કર્યા. કેન્દ્ર સરકારે એનડીઆરએફ હેઠળ "રાજ્યોમાં ફાયર સેવાઓનાં વિસ્તરણ અને આધુનિકીકરણ" માટે કુલ રૂ. 5,000 કરોડની ફાળવણી કરી છે, રૂ.2542.12 કરોડનાં કુલ ખર્ચનાં 15 રાજ્યોની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે

Central has sanctioned 3 projects for expansion of fire services in these states and will allocate Rs. 725.62 crores.

Central has sanctioned 3 projects for expansion of fire services in these states and will allocate Rs. 725.62 crores.

News Continuous Bureau | Mumbai

Fire Service Expansion : કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે “રાજ્યોમાં ફાયર સર્વિસીસના વિસ્તરણ અને આધુનિકીકરણ” હેઠળ રૂ. 725.62 કરોડના ત્રણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સમિતિએ છત્તીસગઢ માટે રૂ. 147.76 કરોડ, ઓડિશા માટે રૂ. 201.10 કરોડ અને પશ્ચિમ બંગાળ માટે રૂ. 376.76 કરોડ મંજૂર કર્યા છે. એચએલસીમાં નાણાં મંત્રી, કૃષિ મંત્રી અને ઉપાધ્યક્ષ નીતિ આયોગનાં સભ્ય છે. 

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આપત્તિ પ્રતિકારક ભારતનાં વિઝનને સાકાર કરવા ગૃહ મંત્રી અમિત શાહનાં માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયે ( Home Ministry )  દેશમાં આપત્તિઓનું અસરકારક વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે કેટલીક પહેલો હાથ ધરી છે. ભારતમાં આપત્તિ જોખમ ઘટાડવાની પ્રણાલીને મજબૂત બનાવીને આપત્તિઓ દરમિયાન જાનમાલને વ્યાપક નુકસાન થતું અટકાવવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે ( Central Government ) “રાજ્યોમાં ફાયર સર્વિસીસના ( Fire Services ) વિસ્તરણ અને આધુનિકીકરણ” માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એનડીઆરએફ) હેઠળ કુલ રૂ. 5000 કરોડની ફાળવણી કરી છે. કુલ રૂ. 2542.12 કરોડના ખર્ચે 15 રાજ્યોની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:  Lion Family Amreli : અદભુત નજારો, ગુજરાતના અમેરલીમાં રસ્તા પર જોવા મળ્યું 12 સિંહોનું ટોળું, જુઓ વીડિયો..

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહના ( Amit Shah ) માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષ દરમિયાન રાજ્યોને રૂ. 21,026 કરોડથી વધારે રકમ રીલિઝ કરવામાં આવી છે. તેમાં 26 રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ ( SDRF )માંથી રૂ. 14,878.40 કરોડ, 15 રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (એનડીઆરએફ)માંથી રૂ. 4,637.66 કરોડ, 11 રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (એસડીએમએફ)માંથી રૂ. 1,385.45 કરોડ અને 03 રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (એનડીએમએફ)માંથી રૂ. 124.93 કરોડનો સમાવેશ થાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version