Site icon News Continuous Bureau | Mumbai

‘ઓક્સિજનના અભાવથી કોઈનું મોત નથી થયું’ તેમ કહેનાર કેન્દ્રએ હવે રાજ્યો પાસેથી માંગ્યા મોતના આંકડા.. જાણો શું છે સરકારનો પ્લાન

ઓક્સિજનના અભાવથી કોઈના મોત થયા નથી તેવું સંસદમાં કહેનાર કેન્દ્ર સરકારે હવે રાજ્યો પાસેથી ઓક્સિજનની અછતથી મરનાર લોકોના આંકડા માંગ્યા છે.

પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી કોરોનોની બીજી લહેર દરમિયાન ઓક્સિજનના અભાવથી કેટલા લોકોના મોત થયા છે તે અંગેના સાચા ડેટા માંગ્યા છે. 

Join Our WhatsApp Community

કહેવામાં આવી રહ્યું છે કે આ આંકડા ચોમાસું સત્ર 13 ઓગસ્ટના રોજ પૂરા થતાં પહેલાં સરકાર સંસદના ટેબલ પર મૂકવામાં આવશે. 

નોંધપાત્ર વાત એ છે કે, આ વર્ષની શરૂઆતમાં, કોરોના ચેપના કેસમાં મોટા પ્રમાણમાં વધારો થવાને કારણે, દેશની આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે ખરડાયેલી જોવા મળી હતી. 

દેશભરની હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને રસીની સાથે ઓક્સિજનના અભાવથી પરિસ્થિતિ વધુ વણસી હતી અને દેશના અનેક રાજ્યોમાં ઓક્સિજનના અભાવને કારણે ઘણા કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

મમતા બેનરજી મુખ્યમંત્રી બન્યા પછી પીએમ મોદીને પહેલી વખત મળ્યા, લગભગ 40 મિનિટ સુધી ચાલી બેઠક ; આ મુદ્દા પર થઈ ચર્ચા 

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version