News Continuous Bureau | Mumbai
Chandrayaan-3: ચંદ્ર તરફ ઝડપથી આગળ વધી રહેલું ચંદ્રયાન-3 તેની સરહદ સુધી પહોંચવા માટે તૈયાર છે. ચંદ્રયાન-3 પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના બે તૃતીયાંશથી વધુ અંતરને કવર કરી ચૂક્યું છે અને શનિવારે એટલે કે આજે ચંદ્રની(moon) ભ્રમણકક્ષામાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
લગભગ બે તૃતીયાંશ અંતરને કવર કરી લીધું
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શુક્રવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 એ 14 જુલાઈએ લોન્ચ કર્યા પછી ચંદ્રના લગભગ બે તૃતીયાંશ અંતરને કવર કરી લીધું છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં ઈસરોનું આ અવકાશયાન પૃથ્વીથી વધુ દૂર ભ્રમણકક્ષામાં જઈ રહ્યું છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે 1 ઓગસ્ટના રોજ, એક મહત્વપૂર્ણ પ્રક્રિયામાં, અવકાશયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્ર પર સફળતાપૂર્વક મોકલવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 5 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
ચંદ્રની નજીકમાં લઈ જશે
એજન્સીના બેંગ્લોર(bangalore) સ્થિત મુખ્યાલયે શુક્રવારે જણાવ્યું હતું કે ટ્રાંસ-લુનર ઇન્જેક્શન પછી, ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળ્યું અને એવા માર્ગ પર આગળ વધવાનું શરૂ કર્યું જે તેને ચંદ્રની નજીકમાં લઈ જશે. દરમિયાન આજે, અન્ય મહત્વપૂર્ણ પ્રક્રિયામાં, અવકાશયાનને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. એટલે કે ચંદ્રયાન-3 એ ભ્રમણકક્ષામાં પહોંચશે જ્યાંથી ચંદ્રનું ગુરુત્વાકર્ષણ શરૂ થાય છે. વૈજ્ઞાનિકોને પૂરી આશા છે કે ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચવાની પ્રક્રિયા સફળ થશે.
ઈસરોએ જણાવ્યું કે લુનર ઓર્બિટ ઈન્જેક્શન (LOI) 5 ઓગસ્ટ માટે લગભગ સાંજે 7 વાગ્યે તૈયાર છે. આ પ્રક્રિયા ત્યારે પૂર્ણ થશે જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની સૌથી નજીક હશે.
37,200 કિમી પ્રતિ કલાકની ઝડપ
ચંદ્રયાન હાલમાં લગભગ 37,200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી, તે તેની સપાટીથી લગભગ 40 હજાર કિલોમીટર દૂર રહેશે. અવકાશ એજન્સીએ અગાઉ જણાવ્યું હતું કે ભારતના(India) ત્રીજા ચંદ્ર મિશનની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને ચંદ્રની સપાટી પર તેના સોફ્ટ લેન્ડિંગનો(soft landing) 23 ઓગસ્ટે પ્રયાસ કરવામાં આવશે.