Site icon News Continuous Bureau | Mumbai

Western Railway : મુસાફરોને થશે હેરાનગતિ.. સાબરમતી-દૌલતપુર ચૌક અને ગાંધીનગર કેપિટલ-જમ્મુતવી એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર; જાણો કારણ

Western Railway : સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશન માં પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Changes in the terminal stations of Sabarmati-Daulatpur Chowk and Gandhinagar Capital-Jammu and Vidarbha Express

Changes in the terminal stations of Sabarmati-Daulatpur Chowk and Gandhinagar Capital-Jammu and Vidarbha Express

  News Continuous Bureau | Mumbai 

Western Railway :

Join Our WhatsApp Channel

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનો ના સમયપાલન ને વધુ બહેતર બનાવવાના ઉદ્દેશય થી સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસ અને ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશન માં પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તથા કેટલીક ટ્રેનોના સંચાલન સમય અને કોચ સંરચનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

Western Railway : ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન

1. ટ્રેન નં. 19411 સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસ 15 મે 2025 થી સાબરમતીના બદલે ગાંધીનગર કેપિટલ થી (10.05 કલાકે) ઉપડશે.
2. ટ્રેન નં. 19412 દૌલતપુર ચૌક-સાબરમતી એક્સપ્રેસ 14 મે 2025 થી સાબરમતી ને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર (15.05 કલાકે) ટર્મિનેટ (સમાપ્ત) થશે.
3. ટ્રેન નં. 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુ તવી એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ ને બદલે સાબરમતી થી (10:25 કલાકે) ઉપડશે અને ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 10.53/10.58 કલાક નો રહેશે. આ ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય યથાવત રહેશે.
4. ટ્રેન નં.19224 જમ્મુતવી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 14 મે 2025 થી ગાંધીનગર કેપિટલને બદલે સાબરમતી સ્ટેશન પર (14.05 કલાકે) ટર્મિનેટ (સમાપ્ત) થશે. આ ટ્રેનનો ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 13:08/13:10 કલાકનો રહેશે. આ ટ્રેન ના અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે. 

આ સમાચાર પણ વાંચો: પશ્ચિમ રેલ્વે ચલાવશે અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન

Western Railway : ટ્રેનો ના સમયમાં આંશિક પરિવર્તન

1. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ થી 10.30 કલાકને બદલે 10.25 કલાકે ઉપડશે અને ચાંદલોડિયા બી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 10.50/10.52 કલાક નો રહેશે. આ ટ્રેન ના અન્ય સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન નો સમય યથાવત રહેશે.
2. ટ્રેન નંબર 19107 ભાવનગર-MCTM ઉધમપુર એક્સપ્રેસ નો 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 10.05/10.10 કલાક નો રહેશે. આ ટ્રેનનો અન્ય સ્ટેશનો પર આગમન- પ્રસ્થાન નો સમય યથાવત રહેશે.

Western Railway : કોચ સંરચનામાં પરિવર્તન

* ટ્રેન નં. 22957/22958 ગાંધીનગર કેપિટલ-વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 15 મે 2025 થી ગાંધીનગર કેપિટલ થી અને 14 મે 2025 થી વેરાવળથી એસી 2-ટાયર ના 2 કોચ, એસી 3-ટાયરના 5 કોચ, સ્લીપર ક્લાસના 8 કોચ, જનરલ ક્લાસના 4 કોચ અને 2 કોચ એસએલઆરડી ની સાથે સંચાલિત થશે.

ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

 

Sanjeev Arora Arrested ED। પંજાબના મંત્રી સંજીવ અરોરા જેલના હવાલે! EDએ ૭ કલાકના દરોડા બાદ કરી ધરપકડ, ‘આપ’માં ખળભળાટ
Suvendu Adhikari West Bengal CM| બંગાળમાં નવા યુગની શરૂઆત શુભેન્દુ અધિકારીએ લીધા CM પદના શપથ; PM મોદીએ સ્ટેજ પરથી જનતાને કર્યા ‘દંડવત પ્રણામ’
ED Raid Punjab Minister| પંજાબના મંત્રી પર EDની તવાઈ! સવાર સવારમાં જ પહોંચી ટીમ, ભગવંત માનનો પલટવાર ‘આ રાજકીય બદલો છે’
New CDS of India 2026। દેશને મળ્યા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ એન. એસ. રાજા સુબ્રમણિ સંભાળશે કમાન, જાણો કેવું રહ્યું તેમનું કરિયર
Exit mobile version