મોટા સમાચાર : સીએએ અને એનઆરસીની રામાયણ વચ્ચે ભારતની નાગરિકતા સંદર્ભે સરકારનો એકશન પ્લાન તૈયાર. જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 ઑક્ટોબર, 2021

બુધવાર

કેન્દ્ર સરકારે વિકાસનાં કામો માટે 60 પૉઇન્ટનો ઍક્શન પ્લાન તૈયાર કર્યો છે.18મી સપ્ટેમ્બરે તમામ વિભાગો અને મંત્રાલયોના સચિવો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મૅરેથૉન બેઠક બાદ આ ઍક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભારતમાં નાગરિકતાનો કોઈ પુરાવો નથી. નાગરિકત્વને ટેક્નોલૉજી દ્વારા જન્મ પ્રમાણપત્ર સાથે જોડાશે.

વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ સચિવોને કાર્યવાહી કરવા યોગ્ય માહિતી મોકલવામાં આવી છે. 60 સૂત્રી યોજનામાં વિવિધ મંત્રાલયોનું કામ નોંધાયેલું છે. મોટે ભાગે, એમાં ત્રણ ભાગ પર ભાર મૂકવામાં આવ્યો છે. શાસન માટે આઇટીનો લાભ લેવો, વ્યાવસાયિક વાતાવરણમાં સુધારો કરવો અને નાગરિક સેવાઓમાં સુધારો કરવો. 

ઍક્શન પ્લાન તૈયાર કરવામાં વડા પ્રધાને વિભાગો અને મંત્રાલયોને અન્ય રાજ્યોની સફળતામાંથી શીખવા પણ કહ્યું છે. 

મુંબઈમાં કોરોના નિયંત્રણમાં, પણ હજી આટલા લોકો હોમ ક્વોર્ન્ટાઇન; જાણો વિગત

જન્મ પ્રમાણપત્રોને એકંદરે નાગરિકત્વ સાથે જોડવાથી લઈને વેપાર કરારોની વાટાઘાટો કરતી વખતે, નોકરીઓની તકો માટે ભાર આપવા સુધી તેમ જ 'ફૅમિલી ડેટાબેઝ ડિઝાઇન'ને પ્રોત્સાહન આપવાથી લઈને સિંગલ એન્વાયર્ન્મેન્ટ ઍક્ટનો મુસદ્દો તૈયાર કરવા સુધી અને આ યોજના હેઠળ ઘણા વધુ કાયદાઓ લાવવાની યોજના છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More