Indian Railways: ભારતીય રેલવે ટ્રેનોમાં સ્વચ્છતા અને પરિચાલન અનુશાસનના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે પ્રતિબદ્ધ

Indian Railways: પશ્ચિમ રેલવે ટ્રેક પર કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. પશ્ચિમ રેલવેના 24 સ્ટેશનો પર પેન્ટ્રી કાર દ્વારા કચરો એકત્ર કરવામાં આવ્યો હતો.

by Hiral Meria
Committed to maintaining the highest standards of cleanliness and operational discipline in Indian Railway trains

News Continuous Bureau | Mumbai

Indian Railways: ભારતીય રેલવે ટ્રેનોમાં સ્વચ્છતા અને પરિચાલન અનુશાસનના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે પ્રતિબદ્ધ  પશ્ચિમ રેલવે ( Western Railway ) તેના આદરણીય ગ્રાહકોને વધુ સારી સેવા સુનિશ્ચિત કરીને સ્વચ્છ મુસાફરી વાતાવરણ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ક્રમમાં ટ્રેનોમાં સ્વચ્છતા ( Cleanliness ) જાળવવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ હેતુ માટે સ્વચ્છ ટ્રેન સ્ટેશન અને ઓન-બોર્ડ હાઉસકીપિંગ સેવાઓ જેવી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી દરમિયાન પેન્ટ્રીકારમાંથી પેદા થતો કચરો એકત્ર કરવા માટે વિવિધ સ્થળોએ ગાર્બેજ કલેક્શન પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે, જેથી માત્ર ટ્રેનો અને રેલવે પરિસર  સ્વચ્છ રહે બલકે રેલવે ટ્રેક ને કિનારે પર પણ સ્વચ્છતા જળવાઈ રહે. આ ઝુંબેશો સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરે છે જે ટ્રેન મુસાફરીના અનુભવને બેહતર બનાવે છે.

પશ્ચિમ રેલવે ના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ, લાંબા અંતરની ટ્રેનોની ( Express Train )  સફાઈ એવા સ્ટેશનો પર કરવામાં આવે છે જ્યાં પ્રાથમિક જાળવણી કરવામાં આવે છે. અમદાવાદ, મુંબઈ સેન્ટ્રલ, રતલામ, ભાવનગર, વડોદરા, વગેરે. આ પહેલ હેઠળ પશ્ચિમ રેલવે માં લગભગ 600 ટ્રેનોની સફાઈ ( Train Cleanliness ) કરવામાં આવે છે અને ટ્રેનની સફાઈ દરમિયાન એકઠા થયેલા તમામ કચરાનો નિયમ મુજબ નિકાલ કરવામાં આવે છે. પશ્ચિમ રેલવે ના 24 સ્ટેશનો પર પેન્ટ્રી કાર દ્વારા કચરો એકત્ર કરવામાં આવે છે, જ્યાં 77600 કિલો ગ્રામ કચરો (સૂકો અને ભીનો કચરો સહિત) પેન્ટ્રી કારથી એકત્રિત કરવામાં આવે છે અને નિયમો અનુસાર અંતિમ નિકાલ માટે સંબંધિત પ્રબંધક દ્વારા રસીદ પર સહી કરવામાં આવે છે. પશ્ચિમ રેલવેની કુલ 175 ટ્રેનોમાં ઓન-બોર્ડ હાઉસકીપિંગ સેવાઓ ( On-board housekeeping services )  છે.

આ સમાચાર પણ વાંચો  :  Umashankar Joshi: કવિ ઉમાશંકર જોશીના જન્મને ૧૧૩ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજ્યો છે સ્મૃતિ વંદના કાર્યક્રમ

ભારતીય રેલવે તમામ ટ્રેનોમાં સ્વચ્છતા અને પરિચાલન અનુશાસન ના ઉચ્ચતમ ધોરણો જાળવવા માટે પ્રતિબદ્ધ છે. મુસાફરો અને હિતધારકોને તાત્કાલિક નિવારણ માટે આવી કોઈપણ ઘટનાની જાણ કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે દરેક માટે સ્વચ્છ અને સલામત મુસાફરી વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવેની પ્રતિબદ્ધતા ની પુષ્ટિ કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More