Site icon

Jagdeep Dhankhar: રાષ્ટ્રવાદ સાથે સમાધાન કરવું એ રાષ્ટ્ર સાથે સૌથી મોટો વિશ્વાસઘાત: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર.

Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રવાદ સાથે સમાધાન કરવું એ રાષ્ટ્ર સાથે સૌથી મોટો વિશ્વાસઘાત છે. ઉપરાષ્ટ્રપતિ ધનખરે ભરપૂર્વતક કહ્યું કે શિક્ષણ પરિવર્તનકારી પરિવર્તનનું કેન્દ્ર છે. આજનું ભારત દસ વર્ષ પહેલા હતું તેવું નથી – ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ ધનખરે કહ્યું કે, પ્રધાનમંત્રી દેશને એક એવા માર્ગ પર દોરી રહ્યા છે જેને આખી દુનિયા ઓળખે છે. મારો જૈવિક જન્મ કિથાણા ગામમાં થયો હતો, પરંતુ મારો ખરો જન્મ સૈનિક સ્કૂલ ચિત્તોડગઢમાં થયો હતો- શ્રી ધનખર. સૈનિક સ્કૂલ ગોરખપુર ભવિષ્યની પેઢીઓના વિકાસનો માર્ગ મોકળો કરશે, દેશ માટે એક માપદંડ સ્થાપિત કરશેઃ ઉપરાષ્ટ્રપતિ ધનખર. ઉપરાષ્ટ્રપતિએ સૈનિક સ્કૂલના કેડેટ્સને કહ્યું, નિષ્ફળતા એ જ સફળતાનો પાયો છે. ઉપરાષ્ટ્રપતિએ આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું

Compromising with nationalism is the biggest betrayal of the nation Vice President Jagdeep Dhankhar

Compromising with nationalism is the biggest betrayal of the nation Vice President Jagdeep Dhankhar

News Continuous Bureau | Mumbai 

Jagdeep Dhankhar: આદરણીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે આજે નાગરિકોને રાષ્ટ્રવાદ ( Nationalism ) સાથે સમાધાન કરવા સામે ચેતવણી આપી હતી અને તેને “રાષ્ટ્ર સાથે અંતિમ વિશ્વાસઘાત” ગણાવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જ્યાં પણ કોઈ પણ રાષ્ટ્રની અખંડિતતાને જોખમમાં મૂકે છે, આપણે તેને સહન કરવું જોઈએ નહીં.”  

Join Our WhatsApp Community

રાષ્ટ્ર પ્રત્યેની ફરજને આપણે હંમેશાં સ્વાર્થ અને રાજકીય હિતથી ઉપર રાખવી જોઈએ તે બાબત પર પ્રકાશ પાડતા ઉપરાષ્ટ્રપતિએ ચેતવણી આપી હતી કે આમ કરવામાં નિષ્ફળતા એ ભારતની સભ્યતાની નૈતિકતા પર હુમલો કરવા સમાન છે, જે અનેક સહસ્ત્રાબ્દીઓ સુધી ફેલાયેલી છે.

આજે ઉત્તર પ્રદેશમાં સૈનિક સ્કૂલ ગોરખપુરના ( Sainik School Gorakhpur ) ઉદઘાટન પ્રસંગે મુખ્ય સંબોધન કરતાં ઉપરાષ્ટ્રપતિએ સૈનિક સ્કૂલ ચિત્તોડગઢના વિદ્યાર્થી તરીકેના પોતાના દિવસોને યાદ કર્યા હતા અને તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક સફરને આકાર આપવામાં તેમની અલ્મા મેટરની અસર પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, “જ્યારે મારો જૈવિક જન્મ કિથાના ગામમાં હતો, ત્યારે મારો અસલી જન્મ સૈનિક સ્કૂલ ચિત્તોડગઢમાં થયો હતો.”

પરિવર્તનશીલ પરિવર્તનના કેન્દ્ર તરીકે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા શ્રી ધનખરે વ્યક્તિને તેમના જીવન પર વધુ નિયંત્રણ આપવા, અને અસમાનતાઓનો નાશ કરવામાં અને સમાજમાં વ્યાપકપણે ગેરરીતિઓને દૂર કરવામાં શિક્ષણની શક્તિ પર પ્રકાશ પાડ્યો હતો.

આજે વૈશ્વિક મંચ પર ભારતની વિશિષ્ટ ઓળખ તરફ ધ્યાન દોરતા ઉપરાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ( Narendra Modi ) “દેશને એ પથ પર અગ્રેસર કરવામાં” પ્રદાનને બિરદાવ્યું હતું, જેને સમગ્ર વિશ્વ ઓળખે છે. શ્રી ધનખરે કહ્યું હતું કે, “આજનું ભારત દસ વર્ષ પહેલાં હતું તેવું નથી. “આર્ટિકલ 370, જેને બંધારણના ઘડવૈયાઓએ કામચલાઉ ગણાવ્યું હતું, તેને કેટલાક લોકો દ્વારા કાયમી માનવામાં આવતું હતું. આ દાયકામાં તેને નાબૂદ કરી દેવામાં આવી છે. આ આજનું ભારત છે.”

ગોરખપુરમાં નવી સૈનિક સ્કૂલની સ્થાપના પ્રસંગે તેમની પ્રશંસા કરતા ઉપરાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ શાળા ભાવિ પેઢીઓના વિકાસ માટે માર્ગ મોકળો કરશે. “તે અન્ય રાજ્યો માટે અને સમગ્ર દેશ માટે અનુકરણ કરવા માટે એક માપદંડ સ્થાપિત કરશે,” શ્રી ધનખરે વિસ્તૃત વર્ણન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  Dahisar robbery : દહિસરમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ, કાર ચાલકની સતર્કતાને કારણે ટક ટક ગેંગનો સભ્ય થયો જેલ ભેગો; જાણો શું છે સમગ્ર મામલો..

ઉત્તર પ્રદેશ ( Uttar Pradesh ) રાજ્ય દ્વારા શાસનમાં અને કાયદાના શાસનને જાળવવામાં નોંધપાત્ર પ્રગતિ પર ભાર મૂકતા ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે, “દેશમાં વ્યાપ્ત વિકાસની લહેરમાં ઉત્તર પ્રદેશની ભાગીદારી રાષ્ટ્રનિર્માણમાં મોટું પ્રદાન છે.”

કેડેટ્સને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ તેમના મનમાંથી ભય દૂર કરવા વિનંતી કરી હતી. ચંદ્રયાન-3ની સફળતાનું નિર્માણ ચંદ્રયાન-2માંથી મળેલા બોધપાઠ પર કેવી રીતે કરવામાં આવ્યું હતું તેનું વર્ણન કરતાં શ્રી ધનખરે કહ્યું હતું કે, “નિષ્ફળતા એ સફળતાનો પાયો છે.”

તેમની મુલાકાત દરમિયાન શ્રી જગદીપ ધનખર અને ડૉ. સુદેશ ધનખરે (Vice President Jagdeep Dhankhar ) તેમની દિવંગત માતાઓ શ્રીમતી કેસરી દેવી અને શ્રીમતી ભગવતી દેવીની યાદમાં નવનિર્મિત સૈનિક સ્કૂલ ગોરખપુરના પરિસરમાં રોપાઓનું વાવેતર કર્યું હતું. તેઓએ પરિસરમાં શૂટિંગ રેન્જનું ઉદઘાટન પણ કર્યું હતું.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ,; ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના રાજ્ય મંત્રી, શ્રી કમલેશ પાસવાન, ; લોકસભાનાં સભ્ય શ્રી રવિ કિશન શુક્લા; આ પ્રસંગે ઉત્તર પ્રદેશ સરકારનાં માધ્યમિક શિક્ષણ મંત્રી શ્રીમતી ગુલાબ દેવી અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

  Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

આ સમાચાર પણ વાંચો:  Gujarat Gaming Zone: ગુજરાતમાં જાહેર હિતને લઈને CM ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, ગેમિંગ ઝોન માટે બનાવ્યા આ કડક નિયમો.

 

Pappu Yadav Health: ધરપકડ બાદ પપ્પુ યાદવની તબિયત બગડી, IGIMS થી પટનાની PMCH હોસ્પિટલમાં કરાયા શિફ્ટ.
PM Modi on US Trade Deal: PM મોદી અને ટ્રમ્પની દોસ્તીનો નવો અધ્યાય! ટ્રેડ ડીલ બાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો આનંદ, વિશ્વના સૌથી મોટા વેપારી કરાર પર કહી આ મોટી વાત
Yamuna Expressway Accident: મથુરામાં કાળમુખા કન્ટેનરે મુસાફરોને કચડ્યા: યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત.
Piyush Goyal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર: ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરનું બજાર ખુલશે, જાણો ખેડૂતો અને માછીમારોને શું થશે ફાયદો.
Exit mobile version