અનેક વિદેશી કંપનીઓએ સેંકડો કરોડ અદાણીમાં રોક્યા, માત્ર અદાણીમાં કેમ? કોંગ્રેસ પાર્ટીએ સૂચિ બહાર પાડી.

વિદેશી કંપનીઓ તેની તમામ મુડી ભારતની એક જ કંપની અદાણીમા જ નાણા રોકવા કેમ ઓળઘોળ ?

by Dr. Mayur Parikh
Rahul Gandhi Funny Moment From hugging PM Modi to winking Rahul Gandhi funny moments in Lok Sabha

રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થઈ ગયા પછી કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવી છે. કોંગ્રેસ પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી અને અદાણી વચ્ચે સાંઠગાઠ છે એવા આરોપ સાથે સમગ્ર દેશમાં આંદોલન ઊભું કર્યું છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે પ્રેસ રિલીઝ ના માધ્યમથી ભાજપ અને અદાણી સંદર્ભે અનેક પ્રશ્નો ખડા કર્યા છે. તેમણે અદાણી કંપનીમાં કઈ કઈ કંપનીઓએ રોકાણ કર્યું છે તેના આંકડા રજૂ કર્યા છે.

કઈ કંપનીઓએ અદાણીમાં રોકાણ કર્યું?

✔️ Elara India Opportunities Fund Limited – 98.50 % – 27,306 Cr

✔️ Albula Investment Fund Ltd – 96.98 % – 12,846 Cr

✔️ Asla Investments – 98.36 % – 9808 Cr

✔️ Cresta Fund ltd – 98.94 % – 13,878 Cr

✔️ Apms Investment Fund Ltd – 98.80 % – 14,897 Cr

✔️ Lts Investment Fund Ltd – 99.28 % – 11,881 Cr

✔️ Marshal global capital fund limited – 99.73 % – 2,580 Cr

✔️ Magnus globle investment – 99.73 % – 2,580 Cr

✔️ Nuleriya Investment – 97.97 % – 2,087 Cr

✔️ Vespera fund – 91.35 % – 2,070 Cr

Total – 80,527 Cr

ઉપરની તમામ દશ કંપનીએ તેની કુલ રકમના આશરે ૯૮ % નાણા ભારતની એક માત્ર અદાણી કંપનીમા રોક્યા છે. એવો દાવો કોંગ્રેસ પાર્ટી એ કર્યો છે.

આ વિદેશી કંપનીઓને ભારતની માત્ર અદાણી કંપનીમા જ Opportunity દેખાય છે…

હવે આ મામલે આવનાર દિવસોમાં આંદોલન પણ કરવામાં આવશે.

કોંગ્રેસ પાર્ટી એ ઉપસ્થિત કરેલા પ્રશ્નો.

✔️ આ વિદેશી કંપનીઓના માલિકો કોણ ?

✔️આવડુ મોટુ વિદેશી ફંડ અદાણી કંપનીમા આવેલ અને આ અનજાન ફંડનુ ભારતની ડીફેન્સ કંપનીઓમા રોકાણ થઇ રહ્યુ છે તે દેશ માટે ઘાતક પુરવાર થઇ શકે છે તેના માટે જવાબદાર કોણ ?

✔️આ વિદેશી કંપનીઓ પોતાના તમામ નાણા ભારતની અદાણી કંપનીમા જ કેમ સુરક્ષિત સમજી ?

✔️ આ નાણા આતંકીઓના નથી તેની ખાતરી શુ ?

✔️ આ નાણા ડ્રગ્સ – દેશ વિરોધી તાકાતને બળ નહી પુરુ પાડે તેની ખાતરી શુ ?

✔️દેશના ગદ્દારોનુ કઇ હવાલાથી પોતાનુ કાળુ નાણુ બહાર મોકલીને ધોળુ કરવાનુ કારસ્તાન તો નથી ને ?

✔️ કઇ આ અનજાન ફંડને દુશ્મન દેશો પાકિસ્તાન-ચીનનુ ભારતમા ઘુસાડીને દેશને બરબાદ કરવાનુ ષડયંત્ર તો નથી ?

આમ કોંગ્રેસ પાર્ટી સંસદ થી શરૂ કરીને સડક સુધી અદાણી અને ભાજપનો મુદ્દો ઉઠાવી રહી છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More