Site icon

મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ખેંચતાણ ચરમસીમાએ, મંત્રીએ કહ્યું કોંગ્રેસના ત્રણ નેતાઓને રસ્તા પર નહીં ઉતરવા દઉં

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો

મુંબઇ

Join Our WhatsApp Community

25 ઓગસ્ટ 2020

કોંગ્રેસ પક્ષમાં કેન્દ્રીય નેતૃત્વ થી લઇ રાજ્યના નેતૃત્વ સુધી ખેંચતાણ ચાલી રહી છે, એ વાત કોઈથી છૂપી નથી. કોંગ્રેસનું નેતૃત્વ હાલ કાર્યકારી અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી સંભાળી રહ્યા છે. એવા સમયે મહારાષ્ટ્ર કોંગ્રેસમાં પણ ત્રણ નેતાઓ ને લઈને મતભેદો સામે આવી રહયાં છે. કોંગ્રેસના જ એક નેતા એ માંગ કરી છે કે મહારાષ્ટ્રના સિનિયર નેતા પૃથ્વીરાજ ચૌહાણ, મુકુલ વાસનિક અને મિલિંદ દેવરાએ સોનિયા ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉભા કર્યા હોવાથી, ત્રણે નેતાઓએ તેમની જાહેરમાં માફી માંગવી જોઈએ.. 

મહારાષ્ટ્રના ખેલકૂદ મંત્રી સુનીલ કેદારે ઉપરોક્ત ત્રણેય નેતાઓ સામે પ્રશ્નો ઉભા કર્યા છે. વાત એમ છે કે ગઈકાલે સીડબલ્યુસી ની બેઠક દિલ્હીમાં મળી હતી. સોનિયા ગાંધીએ વચગાળાનું અધ્યક્ષ પદ છોડવાની તૈયારી કરી લીધી હતી. પરંતું બેઠક પહેલાં જ મહારાષ્ટ્રના ત્રણ નેતાઓ સહિત  23 લોકોએ સોનિયા ગાંધીને પત્ર લખીને તેમના નેતૃત્વ પર સવાલો ઉભા કર્યા હતા .એવો આરોપ સુનિલ કેદારે મુક્યો  છે. પૃથ્વીરાજ ચૌહાણ, મુકુલ વાસનિક અને મિલિંદ દેવરાએ  પણ આ પત્રમાં સહી કરી હતી. આથી જ સોનિયા ના અધ્યક્ષ પદ સામે સવાલ ઉઠાવનાર આ "ત્રણે નેતાઓને જાહેરમાં સોનિયા ગાંધીની માફી માગવી જોઇએ નહીં તો તેઓને રસ્તા પર ઉતરવા દેવામાં આવશે નહીં.'' એવી ચેતવણી ક્રીડા મંત્રી સુનિલ કેદારે આપી છે. આમ હવે મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસના નેતાઓ વચ્ચે અંદરોઅંદરની ખેંચતાણ સામે આવી રહી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

PM Modi: બજેટ પહેલા પીએમ મોદીનો મોટો સંકેત: “હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર નીકળી પડ્યા છીએ”, જાણો દેશ માટે શું છે વડાપ્રધાનનો પ્લાન
Republic Day 2026 Winners: જાણો કોની ઝાંખી રહી સૌથી શ્રેષ્ઠ? ગણતંત્ર દિવસ પરેડના પરિણામો જાહેર: મહારાષ્ટ્ર, ગુજરાત અને નૌસેનાએ મારી બાજી
Pilot Shambhavi Pathak:દિલ્હીના પરિવાર પર આભ તૂટ્યું: પાઈલટ દીકરીના લગ્નની કંકોત્રી છપાવાની હતી અને કાળમુખી દુર્ઘટનાએ માતમ ફેલાવ્યો
India-EU FTA: ભારત-EU વ્યાપાર સમજૂતી: ખેડૂતોના હિતમાં મોદી સરકારનો મોટો નિર્ણય; ડેરી, ચોખા અને ઘઉં પર આયાત ડ્યુટીમાં કોઈ છૂટ નહીં
Exit mobile version