Site icon

રસીકરણની ઝડપ અંગે જાગ્યો વિવાદ; કૉન્ગ્રેસના આ નેતાએ વડા પ્રધાન પર નિશાન સાધતાં આપ્યું આ નિવેદન, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદમાં રણદીપ સુરજેવાલાએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સુરજેવાલાએ મીડિયાને કહ્યું હતું કે “દેશમાં વર્ષ 2012ના ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ પોલિયોની સૌથી વધુ રસી લગાવાઈ હતી. એક જ દિવસમાં પોલિયોની રસી 17 કરોડથી વધારે બાળકોને આપવામાં આવી હતી.”

જોકેમનમોહન સિંહે ક્યારેય પોસ્ટરો લગાવ્યાં નહોતાં. દસ વર્ષ પછી પ્રોપેગેંડા અને કરોડો રૂપિયાની જાહેરાતના સહારે સરકાર જોર લગાવીને એક દિવસમાં માંડ ૮૦ લાખ રસી આપી શકે છે. આ અંગે એક જાણીતા પત્રકારે પણ સરકાર પર આકરા પ્રહારો કરતાં લેખાંજોખાં રજૂ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે આ આંકડો વધારીને એક કરોડ સુધી પહોંચી ગયા હોય તો પણ મામૂલી જ છે. પોલિયોના રસીકરણ અભિયાન સામે તે ખૂબ જ ઓછો છે.

કોરોનાની ત્રીજી લહેર અંગે કૉન્ગ્રેસે બહાર પાડ્યો ‘શ્વેતપત્ર’; વડા પ્રધાન પર નિશાન સાધતાં આપ્યાં આ સલાહ-સૂચન, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે તેમણે ઉમેર્યું હતું કે ભારતે ન્યૂઝીલૅન્ડની તુલના કરવી જોઈએ નહિ. રસીકરણની જાહેરાત પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. દરેક અખબારના પહેલા પાને જાહેરખબર હતી જેમાં મોદીજીને ધન્યવાદ આપવામાં આવ્યા હતા, પરંતુ સમગ્ર દુનિયામાં રસી મફતમાં આપવામાં આવે છે, તો પછી જાહેરાત પાછળ આ નાણાં કેમ વેડફવામાં આવ્યાં હતાં.

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version