ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
24 નવેમ્બર 2020
સુપ્રીમ કોર્ટે આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને કોરોનાના આરટીપીઆરસી પરીક્ષણ અંગે નોટિસ ફટકારી છે. આ નોટીસ એ અરજીની પ્રતિક્રિયામાં માંગવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના પરીક્ષણની કિંમત દરેક રાજ્યમાં અલગ અલગ હોવી જોઈએ. જ્યારે અરજી કર્તા નું કહેવું છે કે આખા દેશમાં કોરોનાની ટેસ્ટ આરટીપીઆરસી પરીક્ષણનો દર 400 રૂપિયા ફીક્સ થવો જોઈએ. તેનાથી કોરોના પરીક્ષણમાં વધારો થશે અને લોકોને લાભ મળશે.
આ અરજી એડવોકેટ અજય અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે દેશમાં કોરોનાના આરટીપીઆરસી પરીક્ષણના જુદા જુદા દર છે. કોરોનાના આરટીપીટીઆર માટે દર દેશભરમાં એક જ હોવો જોઈએ. આ અંગે ન્યાયાધીશ અશોક ભૂષણની ખંડપીઠે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ પાઠવીને બે અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં ફરી કોરોનાના સંક્રમણના કેસોમાં ખૂબ ઉછાળો આવ્યો છે. જેને લઈને આજે વડાપ્રધાને સ્વયં તમામ રાજ્યોના મુખ્યમંત્રી ઓ સાથે ખાસ ચર્ચા કરી છે.
