Site icon

બાપરે! હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે કોરોનાનો વાયરસ; સંક્રમિત વ્યક્તિની ઉધરસ અને છીંકથી ફેલાઈ શકે છે વાયરસ; નવી ઍડ્વાઇઝરી બહાર પડી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 મે 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

દિવસે ને દિવસે કોરોના વાયરસ વધુ ઘાતક બની રહ્યો છે, ત્યારે સરકારે કોવિડ-19 માટે એક નવી ઇઝી ટુ ફોલો ઍડ્વાઇઝરીબહાર પાડી છે. એમાં જણાવ્યા મુજબ કોરોના અસરગ્રસ્ત દર્દીની ઉધરસ અને છીંકથી દસ મીટર દૂર સુધી કોરોનાના વાયરસ ફેલાઈ શકે છે.

નવી ઍડ્વાઇઝરી મુજબ અસરગ્રસ્ત વ્યક્તિની છીંક અને ઉધરસ કોરોના ફેલાવાનું મુખ્ય કારણ બની શકે છે. એથી કોરોનાથી બચવા માટે ચહેરા પર નાક અને મોં ઢંકાય એ પ્રમાણે માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટિન્સિંગનું પાલન કરવું, હાથ સતત સાફ રાખવા તો આવશ્યક છે, તેમ જ સફાઈની સાથે જરૂરી વેન્ટિલેશનની સગવડ પણ આવશ્યક છે.

ઍડ્વાઇઝરીમાં ફરી એક વખત વાયરસના ફેલાવા પર ભાર આપવામાં આવ્યો છે. અસરગ્રસ્ત દર્દીનાં નાક અને મોઢામાંથી નીકળેલા ડ્રૉપલેટ્સ આજુબાજુની સપાટી પર પડે છે. આ સપાટી પર વાયરસ લાંબા સમય સુધી રહેતો હોય છે. એથી એ જગ્યા પર અને ત્યાં રહેલી વસ્તુઓ જેવી કે દરવાજાના હૅન્ડલ, સ્વિચ બોર્ડ, ટૅબલ-ખુરશી અને ફ્લોરને સતત ડિસઇન્ફેક્ટ કરતાં રહેવું આવશ્યક છે.

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version