ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
કેનેડાએ પાંચ મહિના પછી ભારતથી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.
એરલાઇન કંપની કેનેડા આજથી બન્ને દેશો વચ્ચે સીધી ફ્લાઇટસ શરૂ કરી શકે છે. તેજ સમયે ભારતની સરકારી કંપની એર ઈન્ડીયા 30 સપ્ટેમ્બરથી તેની ફલાઈટસ શરુ કરી શકે છે.
જો કે, સાવચેતીના પગલાંની કાળજી લેવી જરૂરી છે. મુસાફરોએ કેનેડાની સીધી ફ્લાઇટ પકડવા માટે દિલ્હી એરપોર્ટ પર માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાંથી આપવામાં આવેલ કોવિડ નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.
ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં કોવિડની બીજી લહેર દરમિયાન કેનેડાએ ભારત આવવા -જવાની તમામ ફ્લાઈટ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.