Site icon

કોરોના ચેક : દેશના 18 રાજ્યોની સ્થિતિ ખરાબ: સ્વસ્થ થનાર દર્દીઓની સરખામણીમાં સક્રિય કેસ વધ્યા. જાણો વિગતે

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

04 માર્ચ 2021

દેશમાં રસીકરણ સાથે, કોરોના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લાં 24 કલાકમાં, 18 રાજ્યોમાં સ્વસ્થ થનારાઓ કરતાં નવા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના નવા કેસ  સામે આવ્યા છે. 18 ઓક્ટોબર પછી પહેલીવાર એક જ દિવસમાં 9,000 થી વધુ કોરોના કેસ નોંધાયા છે.  .

દેશમાં, છેલ્લા 24 કલાકમાં 17,425 કોરોના કેસ નોંધાયા છે. તેની સાથે 14,071 લોકો સ્વસ્થ થયા અને 87 લોકો મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં 1,11,56,923 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. તેમાંથી 1.08 કરોડ લોકો સાજા થયા છે, જ્યારે 1.57 લાખ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. તો 1,73,413 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે. આ રીતે, સક્રિય દર્દીઓની સંખ્યામાં બુધવારે 3260 નો વધારો થયો છે.

 દેશમાં કોરોનાએ ચિતા વધારી : કોરોનાના દૈનિક કોરોના કેસમાં થયો વધારો, રિકવરી દર પણ ઘટ્યો. જાણો નવા આંકડા અહીં

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશના 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોઝિટિવિટી દર 5% કરતા વધારે છે. મહારાષ્ટ્રનો પોઝિટિવિટી દર સૌથી વધુ 13.2% છે. આ સિવાય ગોવામાં 11.1%, નાગાલેન્ડમાં 9.3% અને કેરળમાં 9.2% છે. તો પંજાબ મૃત્યુ દર સૌથી વધારે છે. અહીં દરરોજ 100 કોરોના દર્દીઓમાંથી ત્રણ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અહીં મૃત્યુ દર 3.2 % છે. બીજા સ્થાને મહારાષ્ટ્રમાં મૃત્યુ દર 2.4% છે. સિક્કિમમાં મૃત્યુ દર 2.2% અને પશ્ચિમ બંગાળમાં મૃત્યુ દર  1.8% છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી 1 કરોડ 54 લાખ 61,000 થી વધુ લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી 67.75 લાખ આરોગ્ય કામદારોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 28.25 લાખ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. એ જ રીતે, પ્રથમ ડોઝ 57.62 લાખ ફ્રન્ટલાઈન કામદારોને આપવામાં આવ્યો છે, જ્યારે 3,277 લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે. આ રસી અત્યાર સુધીમાં 45 થી 60 વર્ષની વયના 1.04 લાખ લોકોને અને 60 વર્ષથી વધુની 8.44 લાખ લોકોને આપવામાં આવી છે.

CBSE On-Screen Marking: બોર્ડના પેપર ચેકિંગમાં હવે ભૂલોને કોઈ સ્થાન નથી! CBSE લાવ્યું ડિજિટલ સિસ્ટમ, જાણો કેવી રીતે ઓન-સ્ક્રીન મૂલ્યાંકનથી રિઝલ્ટ આવશે સુપર ફાસ્ટ
New Guidelines for Vande Mataram: ‘વંદે માતરમ્’ ને લઈને સરકારનો મોટો આદેશ: હવે સરકારી કાર્યક્રમોમાં ૬ છંદ ગાવા રહેશે ફરજિયાત, સમય મર્યાદા પણ નક્કી કરાઈ
Supriya Sule daughter: શરદ પવારના ઘરે વાગશે શરણાઈ: સુપ્રિયા સુલેની દીકરી રેવતીના લગ્ન નક્કી, જાણો કોણ છે પવાર પરિવારના જમાઈ સારંગ લાખાણી
Anil Ambani Bank Fraud: અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો: ₹૪૦,૦૦૦ કરોડના ફ્રોડ કેસમાં ED એ રચી SIT, હવે પત્ની ટીના અંબાણી પર પણ તોળાતી ધરપકડની તલવાર!
Exit mobile version