Site icon

આ રાજ્યના મુખ્ય મંત્રીના પિતા જેલમાંથી બહાર આવ્યા, મળ્યા જામીન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

રાયપુર, 11 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

 બ્રાહ્મણ સમાજને વિદેશી કહીને ટિપ્પણી કરવાના, સામાજિક દ્વેષ ઊભો કરવાના અને ભગવાન રામ પર અયોગ્ય ટિપ્પણી કરવાના આક્ષેપ હેઠળ છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલના પિતાને જેલમાં બંધ કરાયા હતા. જેમને કોર્ટ દ્વારા જામીન મળ્યા છે.

 મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલ રાયપુરની જેલમાં ત્રણ દિવસથી બંધ હતા. 5મી સપ્ટેમ્બરે તેમની ધરપકડ બાદ તેમણે જામીન લેવાનું નકારતાં કાર્યવાહીને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું કહ્યું હતું. જામીન લેવાનું નકારવાને કારણે કોર્ટે તેમને ૧૪ દિવસ ન્યાયિક હિરાસતમાં મોકલ્યા હતા. ત્યાર બાદ જામીન માટે અરજી કર્યા બાદ કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે.

મમતા બેનર્જી પાસે છે આટલી સંપત્તિ, સોનું અને પૈસા; હવે લડી રહ્યાં છે પેટાચૂંટણી, એફિડેવિટમાં વિગત બહાર આવી

નંદકુમાર બઘેલ વિરુદ્ધ એફઆઇઆર નોંધાયા બાદ તેમણે સોશિયલ મીડિયા ઉપર ખેદ પ્રકટ કરતાં કહ્યું હતું કે તેમનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો. તેઓ પછાત, અનુસૂચિત જાતિ અને જનજાતિના હિતમાં વાત કરી રહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે ભૂપેશ બઘેલે પિતા વિરુદ્ધ થયેલા આક્ષેપો બાબતે કહ્યું હતું કે અમારી સરકારમાં કાયદો સર્વોપરી છે. મુખ્યમંત્રીના પિતાને પણ માફી નહીં મળે.

Vrindavan Boat Tragedy:વૃંદાવનમાં યમુના નદીમાં મોટી હોનારત, ૧૦ શ્રદ્ધાળુઓના મોત, રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ યથાવત.
India Qatar LNG Supply: કતારથી ભારત આવશે LNG ટેન્કર, રસોઈ ગેસની અછતને પહોંચી વળવા માસ્ટર પ્લાન તૈયાર.
Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version