219
Join Our WhatsApp Channel
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 7 એપ્રિલ 2021
બુધવાર
દેશભરમાં ભયાવહ રીતે વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય વિભાગે એક સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા ચાર સપ્તાહ ભારત દેશ માટે કટોકટીના છે. તેમણે કહ્યું કે મહામારી ની બીજી લહેર અંકુશમાં લાવવા માટે હવે લોકસહભાગ એકમાત્ર અનિવાર્ય ઉપાય છે.
પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું કે હવે અનેક રાજ્યો ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આથી લોકોએ હવે ખૂબ ચેતીને ચાલવું જોઈએ. જો સ્વાસ્થ્યના નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ બેકાબૂ બનશે.
દેશના આ 5 રાજ્યોમાં 2-3 ગણી નહીં પરંતુ ચાર ગણી ઝડપી કોરોનાની લહેર, એક દિવસમાં નોંધાય છે 40થી 50 હજાર કેસ. જાણો વિગતે…
You Might Be Interested In
