Site icon

ભારતના વિરોધ બાદ આખરે બ્રિટને ‘કોવિશીલ્ડ’ને આપી માન્યતા, જાહેર કરી નવી ટ્રાવેલ ગાઈડલાઈન ; જાણો ક્યારથી લાગુ થશે નવા નિયમ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

કોવિશીલ્ડ પર પોતાની વેક્સીન પોલીસીને લઈને ઘેરાયેલા યુકે એ આખરે મોટો ફેરફાર કરવો પડ્યો છે. 

યુકેએ કોવિશીલ્ડ રસી મેળવનારા લોકોને ક્વોરેન્ટાઇન વગર તેમના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી છે.

યુકે સરકારે હવે તેના નિયમોમાં ફેરફાર કર્યો છે અને કોવિશીલ્ડને પણ તે રસીઓની શ્રેણીમાં સામેલ કરી છે જે રસી લેનારા લોકોને યુકેમાં મુસાફરી કરવાની મંજૂરી આપે છે.

જોકે નવા નિયમો 4 ઓક્ટોબરથી અમલમાં આવવાના છે અને રસીના બીજા ડોઝને 14 દિવસ પૂરા થયા બાદ જ મુસાફરી માટે મંજૂરી આપવામાં આવશે. 

નોંધનીય છે કે, બ્રિટનના નવા પ્રવાસ નિયમ મુજબ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોવિશીલ્ડ રસીના બંને ડોઝ લેનારા લોકોનું રસીકરણ માન્ય નહોતું અને યુકે પહોંચ્યા બાદ તેમને 10 દિવસ માટે ક્વોરન્ટાઇનમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. 

આ વર્ષે ગણેશોત્સવમાં મૂર્તિઓની સંખ્યામાં આટલો વધારો જોવા મળ્યો; જાણો વિગત

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version