Site icon

Cyclone News : અરબી સમુદ્રમાં વાવાઝોડાના સંકેત, દરિયાકાંઠે ખતરો?

ભારતીય હવામાન વિભાગે મંગળવારે જાહેરાત કરી હતી કે કેરળના કિનારે અરબી સમુદ્રમાં વાવાઝોડાની રચનાના સંકેતો છે. આ વાવાઝોડાથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે કોઈ ખતરો ન હોવા છતાં મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે માછીમારોને બે દિવસ સુધી દક્ષિણ કોંકણના દરિયામાં માછીમારી કરવા ન જવાની અપીલ કરી છે.

cyclone at Arabian sea?

Cyclone News : અરબી સમુદ્રમાં વાવાઝોડાના સંકેત, દરિયાકાંઠે ખતરો?

ચક્રવાત મન્ડૌસ શમી ગયા પછી, આ વાવાઝોડામાંથી નીકળેલા વાદળો અરબી સમુદ્ર તરફ વળી છે. આ વાદળોના કારણે રવિવારથી રાજ્યના વિવિધ ભાગોમાં છાંટા પડી રહ્યા છે. સોમવારથી રાજ્યના વિવિધ ભાગોમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો નોંધાયો છે. જામતી ઠંડીમાં વિરામ રહેશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મંગળવારે કર્ણાટક અને કેરળ વચ્ચે નીચા દબાણનું ક્ષેત્ર બન્યું. અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે આગામી દિવસોમાં નીચા દબાણના વિકાસ અને ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના વ્યક્ત કરી છે. મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે રત્નાગિરી અને સિંધુદુર્ગના દરિયાકાંઠાના માછીમારોને મંગળવારથી દરિયામાં માછીમારી માટે ન જવાની અપીલ કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Banking News : શું તમારું આ 13 બેંકોમાંથી કોઈમાં ખાતું છે? RBIએ લીધો ‘આ’ મોટો નિર્ણય

PM Modi Middle East Diplomacy: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે પીએમ મોદીની ‘મિડિલ ઈસ્ટ ડિપ્લોમેસી’: ૫ દેશોના દિગ્ગજ નેતાઓ સાથે શું થઈ વાત?
Weather Alert: હવામાનનું મહાઅલર્ટ: દેશના ૧૯ રાજ્યોમાં વાવાઝોડાનું ‘રૌદ્ર સ્વરૂપ’ મચાવશે તબાહી, કવખતના વરસાદથી ખેતીના પાક પર સંકટ
LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Oil Wells in India: ભારતમાં ક્યાં ક્યાંથી નીકળે છે ‘કાળું સોનું’? આસામથી ગુજરાત સુધી ફેલાયેલા તેલના કૂવાઓનો સંપૂર્ણ નકશો અને ઈતિહાસ.
Exit mobile version