Death Penalty: કતારમાં ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ અધિકારીઓને મૃત્યુદંડની સજા, લાગ્યો છે આ આરોપ, ભારત નિર્ણયને પડકારશે..

Death Penalty: કતારની અદાલતે જાસૂસી કેસમાં આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મૃત્યુદંડની સજા સંભળાવતા, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે કાયદાકીય ટીમના સંપર્કમાં છીએ.

by Hiral Meria
Death Penalty 8 ex Indian Navy officers awarded death penalty in Qatar

News Continuous Bureau | Mumbai 

Death Penalty: અરબ દેશ કતારમાં ( Qatar ) 8 ભારતીયોને ( Indians ) મોતની સજા ( death Penalty ) ફટકારવામાં આવી છે. કતારમાં કોર્ટના નિર્ણય પર ભારત સરકારનું ( Indian Government ) નિવેદન સામે આવ્યું છે. કતારમાં 8 ભારતીયોને મૃત્યુદંડની સજાના નિર્ણય પર વિદેશ મંત્રાલયે ( Ministry of Foreign Affairs ) કહ્યું કે અમે આનાથી ખૂબ જ આઘાતમાં છીએ અને અમે વિગતવાર નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ અને તમામ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છીએ.

વિદેશ મંત્રાલયે કહ્યું કે અમારી પાસે પ્રાથમિક માહિતી છે કે અલ દહરા કંપનીના 8 ભારતીય કર્મચારીઓ સાથે સંબંધિત કેસમાં કતારની કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામને ફાંસીની સજા સંભળાવી છે. તમને જણાવી દઈએ કે આ આઠ ભારતીયો ગયા વર્ષે ઓક્ટોબરથી કતારની કસ્ટડીમાં છે.

મૃત્યુદંડના નિર્ણયથી અત્યંત આઘાત

વિદેશ મંત્રાલયે કહ્યું, ‘અમે મૃત્યુદંડના નિર્ણયથી અત્યંત આઘાતમાં છીએ અને વિગતવાર નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. અમે પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાનૂની વિકલ્પોની શોધ કરી રહ્યા છીએ. અમે આ બાબતને ખૂબ મહત્વ આપીએ છીએ અને તેની નજીકથી દેખરેખ રાખી રહ્યા છીએ. અમે તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડવાનું ચાલુ રાખીશું. અમે આ નિર્ણયને કતારી સત્તાવાળાઓ સાથે પણ ઉઠાવીશું. આ કેસની કાર્યવાહીની ગોપનીય પ્રકૃતિને કારણે, આ સમયે વધુ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.

આ સમાચાર પણ વાંચો : Jammu and Kashmir : કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આટલા આતંકવાદીઓ માર્યા ઠાર, ઓપરેશન ચાલુ..

તમામ કસ્ટડીમાં

વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ તમામ ભારતીય નૌકાદળના ( Indian Navy ) પૂર્વ કર્મચારી રહી ચૂક્યા છે. ભારતીય કર્મચારીઓ ઓગસ્ટ 2022 થી ત્યાં કસ્ટડીમાં છે. કતારના સત્તાવાળાઓ દ્વારા તેમની સામેના આરોપો જાહેર કરવામાં આવ્યા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તાજેતરમાં કહ્યું હતું કે આ કેસમાં સાતમી સુનાવણી 3 ઓક્ટોબરના રોજ થઈ હતી અને ભારત ‘કોર્ટ ઓફ ફર્સ્ટ ઈન્સ્ટન્સ’માં કાર્યવાહી પર નજર રાખી રહ્યું છે. તમામ આઠ ભારતીય ખાનગી કંપની દહારા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસમાં કામ કરતા હતા. કતારમાં ભારતના રાજદૂત 1 ઓક્ટોબરે આ કર્મચારીઓને જેલમાં મળ્યા હતા.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More