Delhi News: કેજરીવાલના જેલમાં ગયા બાદ દિલ્હીનું રાજકારણ ગરમાયુ, રાજ કુમાર આનંદે મંત્રી પદ છોડ્યું, પાર્ટીમાંથી પણ રાજીનામું આપ્યું..

Delhi News: દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજકુમાર આનંદ પર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.મની લોન્ડરિંગ કેસમાં રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી હતા.

by kalpana Verat
Delhi News Raaj Kumar Anand resigns from Delhi cabinet, quits AAP

  News Continuous Bureau | Mumbai 

Delhi News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા પછી કદાચ આમ આદમી પાર્ટીમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. દેશની રાજધાની દિલ્હીમાં એક મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. દિલ્હીના મંત્રી અને AAP નેતા રાજ કુમાર આનંદે મંત્રી પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રાજ કુમાર આનંદનું કહેવું છે કે પાર્ટી દલિત ધારાસભ્યો, કાઉન્સિલરો અને મંત્રીઓનું સન્માન કરતી નથી. દલિતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ તમામ બાબતોને કારણે મારા માટે પાર્ટીમાં ચાલુ રહેવું મુશ્કેલ છે, તેથી હું પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છું.

પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર સામે લડવા માટે થયો હતો પરંતુ 

દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજ કુમાર આનંદે પાર્ટી પર ભ્રષ્ટાચારનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર સામે લડવા માટે થયો હતો પરંતુ આજે પાર્ટી પોતે જ ભ્રષ્ટાચારમાં ડૂબી ગઈ છે. હું આ સરકારમાં કામ કરી શકતો નથી અને હું નથી ઈચ્છતો કે મારું નામ આ ભ્રષ્ટાચાર સાથે જોડાય. રાજ કુમાર આનંદનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કહેવાતા દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં ગયા છે.

આ સમાચાર પણ વાંચો : ભાજપને સપોર્ટ કરનારા રાજ ઠાકરેને સંજય રાઉતનો સવાલ, કહ્યું કઈ ફાઈલ ખૂલી?, કેમ આપી રહ્યા છો સમર્થન

દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પછી

લોકસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ છે તેવા સમયે રાજ કુમાર આનંદના રાજીનામાનો સમય ખાસ માનવામાં આવે છે. ભાજપ સતત કેજરીવાલ પાસે નૈતિક આધાર પર મુખ્યમંત્રી પદ છોડવાની માંગ કરી રહ્યું છે. રાજ કુમાર આનંદે રાજીનામાના સમય અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું – ગઈકાલ સુધી તેઓ એવી છાપમાં હતા કે આમ આદમી પાર્ટીના નેતાઓને ફસાવવામાં આવી રહ્યા છે, પરંતુ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પછી એવું લાગી રહ્યું છે કે કંઈક એવું છે. અમારા તરફથી ખોટું થયું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More