Delhi Shocker। સ્લીપર બસમાં મહિલા બની ગેંગરેપનો શિકાર! સમય પૂછવો ભારે પડ્યો, દિલ્હીમાં મોડી રાત્રે બનેલી ઘટનાથી મહિલાઓમાં ફફડાટ

Delhi Shocker। મંગોલપુરી ફેક્ટરીથી ઘરે જઈ રહી હતી પીડિતા; ચાલક અને હેલ્પરે બસમાં આચરી દરિંદગી, નાંગલોઈ મેટ્રો સ્ટેશન પાસે ફેંકીને ફરાર થઈ ગયા.

by Janvi Soni
Delhi Shocker। સ્લીપર બસમાં મહિલા બની ગેંગરેપનો શિકાર! સમય પૂછવો ભારે પડ્યો, દિલ્હીમાં મોડી રાત્રે બનેલી ઘટનાથી મહિલાઓમાં ફફડાટ

 

News Continuous Bureau | Mumbai

Delhi Shocker। દેશની રાજધાની દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. દિલ્હીના રાની બાગ વિસ્તારમાં એક ચાલતી સ્લીપર બસમાં ૩૦ વર્ષીય મહિલા પર સામૂહિક દુષ્કર્મની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ફેક્ટરીમાં કામ પતાવીને ઘરે જવા માટે બસની રાહ જોતી મહિલાને મદદના બહાને બસમાં ખેંચી લેવામાં આવી હતી અને તેની સાથે આ હેવાનિયત આચરવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બસ કબજે કરી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

સમય પૂછ્યો અને નરાધમોએ અંદર ખેંચી લીધી

મળતી માહિતી મુજબ, પીડિતા તેના પતિ અને બે બાળકો સાથે પીતમપુરા વિસ્તારમાં રહે છે અને મંગોલપુરીની એક ફેક્ટરીમાં કામ કરે છે. રાત્રે કામ પૂરું કરીને તે સરસ્વતી વિહાર પાસે બસની રાહ જોતી હતી. તે દરમિયાન ત્યાં એક સ્લીપર બસ આવીને ઉભી રહી. મહિલાએ બસના દરવાજે ઉભેલા વ્યક્તિને સમય પૂછ્યો, જેનો ફાયદો ઉઠાવી આરોપીએ તેને બળજબરીથી બસની અંદર ખેંચી લીધી અને ચાલકને બસ ચલાવવા કહ્યું હતું.

નાંગલોઈ મેટ્રો સ્ટેશન પાસે ફેંકીને ભાગી ગયા

ચાલતી બસમાં ડ્રાઈવર અને હેલ્પરે મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ અત્યાચાર બાદ આરોપીઓએ પીડિતાને નાંગલોઈ મેટ્રો સ્ટેશન પાસે ચાલતી બસમાંથી નીચે ફેંકી દીધી અને ફરાર થઈ ગયા. પીડિતાએ હિંમત દાખવીને પોલીસનો સંપર્ક કર્યો, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

CCTV ફૂટેજથી આરોપીઓ પકડાયા

રાની બાગ પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી હતી. રૂટ પર લાગેલા CCTV કેમેરાની તપાસ કરતા માલૂમ પડ્યું કે આ બસ દિલ્હી અને બિહાર વચ્ચે ચાલે છે. પોલીસે બસ શોધી કાઢી અને ડ્રાઈવર તથા હેલ્પર બંનેની ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા છે. પીડિતાના પતિને ટીબી (TB) ની બીમારી હોવાથી ઘરની આર્થિક જવાબદારી મહિલા પર જ હતી, તેવામાં આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાવ્યો છે.

👉 આ સમાચાર વાચો:
UP Storm Deaths May 2026। યુપીમાં કુદરતનો પ્રકોપ ભયાનક આંધીતુફાનમાં ૫૪ લોકોના કરુણ મોત, એકલા પ્રયાગરાજમાં જ ૧૬ જીવ ગયા; જાણો અત્યારે કેવી છે સ્થિતિ?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More