Dharmendra Pradhan AI-Centers: “વિકસીત ભારત”ના વિઝનને સાકાર કરવા સરકાર અગ્રેસર, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આવતીકાલે આ 3 એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્રોનો કરશે શુભારંભ.

Dharmendra Pradhan AI-Centers: ધર્મેન્દ્ર પ્રધાન 15 ઑક્ટોબર, 2024ના રોજ સ્વાસ્થ્ય સેવા, કૃષિ અને સસ્ટેનેબલ સિટીઝ પર 3 એઆઈ – ઉત્કૃષ્ટતા કેન્દ્રોનો શુભારંભ કરશે

Dharmendra Pradhan to inaugurate 3 AI-Centers of Excellence on Healthcare, Agriculture and Sustainable Cities tomorrow

News Continuous Bureau | Mumbai

Dharmendra Pradhan AI-Centers: કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન 15 ઑક્ટોબર 2024ના રોજ નવી દિલ્હીમાં સ્વાસ્થ્ય સેવા, કૃષિ અને સતત શહેરો પર કેન્દ્રિત ત્રણ AI સેન્ટર ઑફ એક્સલન્સ (CoE)નું લોકાર્પણ કરશે.  

Join Our WhatsApp Community

“વિકસીત ભારત”ના વિઝનને સાકાર કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટેના આ ત્રણ CoEsનું ( AI-Centers ) નેતૃત્વ ઉદ્યોગ ભાગીદારી અને સ્ટાર્ટઅપની સાથે મળીને ટોચની શૈક્ષણિક સંસ્થાઓ ( Educational institutions ) દ્વારા કરવામાં આવશે. તેઓ આ ત્રણ ક્ષેત્રોમાં આંતરશાખાકીય સંશોધન કરશે, અત્યાધુનિક એપ્લિકેશનો વિકસાવશે અને માપી શકાય તેવા ઉકેલો બનાવશે. આ પહેલનો હેતુ અસરકારક AI ઇકોસિસ્ટમને ગેલ્વેનાઇઝ કરવાનો અને આ નિર્ણાયક ક્ષેત્રોમાં ગુણવત્તાયુક્ત માનવ સંસાધનોનું સંવર્ધન કરવાનો છે.

Dharmendra Pradhan to inaugurate 3 AI-Centers of Excellence on Healthcare, Agriculture and Sustainable Cities tomorrow

Dharmendra Pradhan to inaugurate 3 AI-Centers of Excellence on Healthcare, Agriculture and Sustainable Cities tomorrow

 

“ભારતમાં એઆઈને  ( AI ) પ્રોત્સાહન આપવા અને ભારત માટે એઆઈ કાર્યરત બનાવવા”ના વિઝનના ભાગરૂપે, આ ​​કેન્દ્રોની સ્થાપનાની જાહેરાત 2023-24 માટે બજેટની જાહેરાતના પેરા 60 હેઠળ કરવામાં આવી હતી. તેની સાથે સંરેખણમાં, સરકારે નાણાકીય વર્ષ 2023-24થી નાણાકીય વર્ષ 2027-28ના સમયગાળામાં 990.00 કરોડ રૂપિયાના કુલ નાણાકીય ખર્ચની સાથે ત્રણ એઆઈ ઉત્ક઼ષ્ટતા કેન્દ્રોના નિર્માણને મંજૂરી આપી છે.

આ સમાચાર પણ વાંચો:  Elephant Dussehra: દશેરા શોભાયાત્રામાં ભાગ લેવા આવેલા ગજરાજ થયા ગુસ્સે, હવામાં ઉછાળી ગાડીઓ; લોકોના જીવ તાળવે ચોંટ્યા..

પહેલના ( Dharmendra Pradhan AI-Centers ) અમલીકરણ પર દેખરેખ રાખવા માટે, ઉદ્યોગ જગતની એક ટોચની સમિતિનું ગઠન કરાયું છે, જેની સહ-અધ્યક્ષતા ઝોહો કોર્પોરેશનના સ્થાપક અને સીઈઓ ડો. શ્રીધર વેમ્બુ કરશે.

આ પ્રંસગે સચિવ/ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાના શ્રી કે. સંજય મૂર્તિ, IITના ડિરેક્ટરો, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના (HEIs) વડા, ઉદ્યોગ અગ્રણીઓ, સ્ટાર્ટ-અપ સ્થાપકો અને ભારત સરકારના વિવિધ મંત્રાલયોના ( Dharmendra Pradhan ) વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version