Site icon

નીરવ મોદી-મેહુલ ચોકસી કેસમાં EDને મળી મોટી સફળતા, 1350 કરોડની જ્વેલરી જપ્ત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 જુન 2020

ભારતની બેંકો પાસેથી લીધેલી લોન ચૂકવવાને બદલે એ પૈસા લઈને વિદેશ ભાગી ચૂકેલા મામા ભાણેજ મેહુલ ચોકસી અને નીરવ મોદી પર ED એ મોટી કાર્યવાહી કરી છે. હોંગકોંગ માં આવેલ તેઓના સ્થળેથી હીરા, મોતી અને મોટી સંખ્યામાં દાગીના જપ્ત કર્યા છે. જેની કિંમત આશરે 1500 કરોડ રૂપિયા કહેવામાં આવે છે. આ કીમતી જ્વેલરી હોંગકોંગની એક કંપનીના ગોડાઉનમાં રાખવામાં આવી હતી.

 નોંધનીય છે કે નીરવ મોદી અને મેહુલ ચોકસીની કંપનીઓ સામે 108 પાર્સલ હોંગકોંગથી મુંબઈ મંગાવવામાં આવ્યા છે. જેનું વજન લગભગ 2340 કિલોગ્રામ છે. EDની માહિતી મુજબ 2018માં આ પાર્સલો દુબઈથી હોંગકોંગ મોકલાયા હતા, તે વખતે ઈડી ને 2018 માં જ ગુપ્તચર વિભાગ દ્વારા આની માહિતી મળી ચુકી હતી. 

મળતી માહિતી મુજબ 108 કન્સાઇનમેન્ટમાંથી 32 કન્સાઇનમેન્ટ નીરવ મોદીની કંપનીઓના છે. જ્યારે બાકીના મેહુલ ચોકસી સાથે જોડાયેલી કંપનીના છે. ઉલ્લેખનીય છે કે હોંગકોંગની તમામ ઓથોરિટીના સંપર્કમાં આવ્યા બાદ, લાંબી કાયદાકીય પ્રોસેસ બાદ ઈડીને આ કન્સાઇનમેન્ટ ભારત લાવવામાં સફળતા મળી છે…

Shashi Tharoor Convoy Attack: શશિ થરૂરના કાફલા પર હુમલો કરનાર એક શખ્સ ઝડપાયો, ગનમેન અને ડ્રાઈવર પર કરાયો પ્રહાર.
Good News from Hormuz: ચિંતા છોડો! હોર્મુઝથી ૭મું LPG ટેન્કર ભારત આવવા રવાના, ૫૮ હજાર મેટ્રિક ટન ગેસનો જથ્થો ટૂંક સમયમાં પહોંચશે
Indian Navy Mission: મુંબઈથી ‘સાગર’ મિશનનું પ્રસ્થાન: પડોશી દેશો સાથે મળીને ભારતીય નૌસેના સમુદ્રમાં રચશે નવો ઈતિહાસ
Flight Ticket Row:એરલાઈન્સ અને સરકાર આમને-સામને: ફ્યુઅલ સરચાર્જમાં વધારાથી મચ્યો બખેડો, ઉડ્ડયન મંત્રાલયે માંગી સ્પષ્ટતા
Exit mobile version