Telangana Assembly Elections 2023: કોણ છે કૃષ્ણ મદિગા? જેઓ પીએમ મોદીના ખભા પર માથું મૂકીને રડી પડ્યા .. જાણો શું છે આ મામલો.. જુઓ વિડીયો..

Telangana Assembly Elections 2023: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પહેલાં, તેલંગાણાના ભાજપના નેતાઓએ રાજ્યમાં મદિગા સમુદાયને અન્યાય અને ઉપેક્ષા વિશે મંચ પર વાત કરી હતી. ત્યારે મોદીની બાજુમાં બેઠેલા સ્થાનિક નેતા મંદા કૃષ્ણા મદિગા ભાવુક થઈ ગયા હતા. તેઓ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. તે સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્વસ્થ કર્યા અને શાંત કર્યા હતા.

by Zalak Parikh
Telangana Assembly Elections 2023: Who is Krishna Madiga? Who cried on PM Modi's shoulder.. Know what this matter is.. Watch the video..

News Continuous Bureau | Mumbai 

Telangana Assembly Elections 2023: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેલંગાણા, હૈદરાબાદમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પહેલાં, તેલંગાણાના ભાજપના નેતાઓએ રાજ્યમાં મદિગા સમુદાયને અન્યાય અને ઉપેક્ષા વિશે મંચ પર વાત કરી હતી. ત્યારે મોદીની બાજુમાં બેઠેલા સ્થાનિક નેતા મંદા કૃષ્ણા મદિગા ભાવુક થઈ ગયા હતા. તેઓ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. તે સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્વસ્થ કર્યા અને શાંત કર્યા હતા.

 

વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ રહી છે ત્યારે ક્રિષ્ના મદિગાનો ચૂંટણી રેલીમાં ભાવુક થઈ જતા અને પીએમ મોદી દ્વારા સાંત્વના આપતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો જોયા બાદ યુઝર્સને 2019માં ચંદ્રયાન-2 મિશન નિષ્ફળ થયા બાદ ઈસરોના તત્કાલીન ચીફ સિવાન ઈમોશનલ થઈ જવાની ઘટના યાદ આવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સાંત્વના આપી હતી.

 

કૃષ્ણા મદિગા તેલંગાણા રાજ્યના સૌથી મોટા દલિત નેતા…

 

મંદા કૃષ્ણ મદિગા તેલંગાણાના દલિત નેતા છે. અને તેઓ મદિગા આરક્ષણ પોરાટા સમિતિના વડા પણ છે. તેલંગાણાની રચનાના ઘણા વર્ષો પહેલા પ્રકાશમ જિલ્લામાં આરક્ષણ પોરાટા સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આ જિલ્લો આંધ્રપ્રદેશમાં હતો. હવે આ જિલ્લો તેલંગાણા રાજ્યનો એક ભાગ છે. મદિગા સમુદાયને તેલંગાણા રાજ્યમાં અનુસૂચિત જાતિનો સૌથી મોટો ઘટક માનવામાં આવે છે.


કૃષ્ણા મદિગા રાજ્યના સૌથી મોટા દલિત નેતાઓમાં સામેલ છે. આથી તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં મોદીની બાજુમાં ખુરશી આપવામાં આવી હતી. તેલંગાણામાં મદિગા સમુદાય ચામડાનો વ્યવસાય કરે છે. તેથી તેને વંચિત જૂથ તરીકે ગણવામાં આવે છે. મડીગા કમિટી છેલ્લા ઘણા સમયથી એસસી કેટેગરીના અનામતમાં અલગ ક્વોટાની માંગ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Telangana Elections: કોંગ્રેસે તેલંગણા ચુંટણીમાં આ ભારતીય ક્રિકેટરને આપી ટિકિટ.. બીજી યાદીમાં 45 ઉમેદવારો કર્યા જાહેર.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..

મદિગા પ્રથમ વખત 2013માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ભાજપે તેના 2014ની વિધાનસભા ચૂંટણી ઢંઢેરામાં મદિગા સમુદાયને અનામત આપવાનું વચન આપ્યું હતું. પરંતુ ભાજપ જીતી શકી નથી. તેથી આ વચન પાળ્યું ન હતું. હૈદરાબાદમાં મોદીની રેલીનું આયોજન ક્રિષ્ના મદિગાના સંગઠન દ્વારા કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More