Election Commission Congress: હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોથી કોંગ્રેસ અસંતુષ્ટ! દિગ્ગ્જ નેતાઓના નિવેદન પર ચૂંટણી પંચ કડક; પાર્ટી અધ્યક્ષને લખ્યો પત્ર..

Election Commission Congress: કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા હરિયાણા ચૂંટણી પરિણામોને નકારી કાઢવાના નિવેદનો સામે ચૂંટણી પંચે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે દેશના સમૃદ્ધ લોકતાંત્રિક ઈતિહાસમાં આ પ્રકારની ટિપ્પણીઓ પહેલાં ક્યારેય સાંભળવામાં આવી નથી અને તે વાણી સ્વાતંત્ર્યની કાયદેસરતાની બહાર છે.

by kalpana Verat
Haryana Election Result 2024 Savitri Jindal, 2 other Independents back BJP after party's Haryana stunner

News Continuous Bureau | Mumbai

Election Commission Congress: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રંચડ જીત હાંસલ કરી છે. તેને પોતાના દમ પર પૂર્ણ બહુમતી મળી છે, જ્યારે કોંગ્રેસ તે જાદુઈ આંકડાથી ઘણી પાછળ રહી ગઈ છે. રાજ્યમાં તેની કારમી હાર બાદ કોંગ્રેસે કહ્યું હતું કે તે વિધાનસભા ચૂંટણીના પરિણામો અસ્વીકાર્ય છે. હવે કોંગ્રેસના આ નિવેદન પર કડક વલણ અપનાવતા ચૂંટણી પંચે બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. ચૂંટણી પંચે પોતાના પત્રમાં હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોને નકારી કાઢતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના નિવેદનોને વાણી સ્વાતંત્ર્યનો દુરુપયોગ ગણાવ્યો છે. કમિશને કહ્યું કે દેશના સમૃદ્ધ લોકતાંત્રિક ઈતિહાસમાં આ પ્રકારના નિવેદનો પહેલાં સાંભળવા મળ્યા નથી.

 Election Commission Congress:કોંગ્રેસના નેતાઓના નિવેદનબાજી પર ચૂંટણી પંચ કડક 

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં પંચે સ્પષ્ટ કર્યું છે કે પક્ષના નેતાઓ જયરામ રમેશ અને પવન ખેડાની ટિપ્પણીઓ લોકોની ઇચ્છાને અલોકતાંત્રિક અસ્વીકાર તરફ દોરી જાય છે. પંચે કહ્યું કે તેણે ખડગે અને રાહુલ ગાંધીના નિવેદનોની નોંધ લીધી છે, જેમાં હરિયાણાના પરિણામોને અણધાર્યા ગણાવ્યા છે.

 Election Commission Congress:ચૂંટણીના પરિણામોને અણધાર્યા ગણાવ્યા

 તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોને અણધાર્યા ગણાવ્યા અને કહ્યું કે વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદોની જાણકારી ચૂંટણી પંચને આપવામાં આવશે. તેમણે પક્ષના અન્ય નેતાઓ સાથે ચૂંટણી પંચનો સંપર્ક કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો.

આ સમાચાર પણ વાંચો: Haryana Election Result Congress : ‘હરિયાણામાં અણધાર્યા પરિણામ, ચૂંટણી પંચ પાસે જશે…’ પરિણામો પર પહેલીવાર બોલ્યા રાહુલ ગાંધી…

 Election Commission Congress:પંચ કોંગ્રેસના નેતાઓની ફરિયાદો સાંભળશે

પંચે કોંગ્રેસના નેતાઓની ફરિયાદો સાંભળવા માટે 12 સભ્યોના પ્રતિનિધિમંડળની બેઠક માટે પણ સમય આપ્યો છે, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સામેલ હશે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “પક્ષના અધ્યક્ષનું નિવેદન ચૂંટણી પરિણામો પર પક્ષની ઔપચારિક સ્થિતિ છે તે સ્વીકારીને, ચૂંટણી પંચ આજે સાંજે 6 વાગ્યે પ્રતિનિધિમંડળને મળવા માટે સંમત થયા છે,” પત્રમાં જણાવાયું છે.

નોંધનીય છે કે ચૂંટણી પંચ સાથેની આ બેઠક કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોને ફગાવી દીધાના એક દિવસ બાદ થવા જઈ રહી છે. આ પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, મહાસચિવ જયરામ રમેશ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પાર્ટીના ખજાનચી અજય માકન, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સહિત અનેક અગ્રણી નેતાઓ સામેલ થશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More