News Continuous Bureau | Mumbai
Kishtwar Encounter જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર સામસામે ગોળીબાર શરૂ થયો છે. ડોલગામ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળ્યા બાદ સેનાએ આખું સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં છેલ્લા પખવાડિયામાં આ ચોથી ઘટના છે જ્યારે સુરક્ષાબળોનો સામનો આતંકીઓ સાથે થયો હોય.
સંયુક્ત ઓપરેશન ‘ત્રાશી-I’
વ્હાઇટ નાઈટ કોર, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા આ સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. શનિવારે સવારે જ્યારે જવાનો સર્ચ કરી રહ્યા હતા, ત્યારે આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એ પોતે કિશ્તવાડની મુલાકાત લઈને આ એન્ટી-ટેરર ગ્રીડની સમીક્ષા કરી છે. સુરક્ષાબળોએ વિસ્તારને ચારે બાજુથી સીલ કરી દીધો છે.
મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ
એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખીને અને રાષ્ટ્ર વિરોધી તત્વો અફવાઓ ન ફેલાવે તે માટે પ્રશાસને કડક પગલાં લીધા છે. સિંઘપોરા, ચિંગમ અને ચતરુ જેવા વિસ્તારોમાં 6 કિલોમીટરના દાયરામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવી છે. આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે સેના દ્વારા તમામ આધુનિક સાધનો અને ઈન્ટેલિજન્સ ઇનપુટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Sunetra Pawar: સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી (Deputy CM) બનાવવામાં આટલી ઉતાવળ કેમ? જાણો શું છે અસલી રમત
જૈશના આતંકીઓનો સફાયો કરવાનું લક્ષ્ય
સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે ઘેરાયેલા ત્રણેય આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા છે અને તેઓ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. હાલમાં બંને તરફથી ભારે ગોળીબાર ચાલુ છે. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આતંકીઓનો સફાયો નહીં થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે. પહાડી અને જંગલ વિસ્તાર હોવાને કારણે જવાનો ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છે.
