Site icon News Continuous Bureau | Mumbai

Cough syrup: કમિશન માટે ડૉક્ટરે બાળકોના જીવ જોખમમાં મૂક્યા! ઝેરી કફ સિરપ કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો.

મધ્ય પ્રદેશના છિંદવાડામાં કફ સિરપથી બાળકોના મોતનો મામલો; કોર્ટે ડૉક્ટરના જામીન નામંજૂર કર્યા, સુરક્ષા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કર્યાનું કહ્યું.

Cough syrup કમિશન માટે ડૉક્ટરે બાળકોના જીવ જોખમમાં મૂક્યા! ઝેરી કફ સિરપ

Cough syrup કમિશન માટે ડૉક્ટરે બાળકોના જીવ જોખમમાં મૂક્યા! ઝેરી કફ સિરપ

News Continuous Bureau | Mumbai
Cough syrup મધ્ય પ્રદેશમાં બાળકોને કફ સિરપ આપવાના એક ગંભીર મામલામાં પોલીસની FIR રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, આરોપી ડૉક્ટર આ સિરપ લખવા માટે 10 ટકા કમિશન લેતો હતો. આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું છે કે ડૉક્ટરે સુરક્ષા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે અને અગાઉથી આપવામાં આવેલી તમામ ચેતવણીઓને જાણી જોઈને અવગણી છે. છિંદવાડા જિલ્લામાં કફ સિરપથી અનેક બાળકોના મોત સાથે જોડાયેલા આ મામલામાં પોલીસે એક ડૉક્ટરની ધરપકડ પણ કરી છે.

કમિશન પર ઝેરી સિરપ લખવાનો આરોપ

પારસિયા સામુદાયિક આરોગ્ય કેન્દ્રના બાળ રોગ નિષ્ણાત પર તમિલનાડુની શ્રીસન ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર કંપની દ્વારા બનાવેલી ‘કોલ્ડ્રિફ સિરપ’ લખવાનો આરોપ છે. આ સિરપમાં ડાયેથિલીન ગ્લાયકોલ નામનું રસાયણ હતું, જે કિડની ફેલિયરનું કારણ બને છે. આ રસાયણ અનેક બાળકોના મોતનું મુખ્ય કારણ બન્યું હતું. અનેક બાળકોના મોત બાદ તમિલનાડુ સરકારે કંપનીને તાત્કાલિક બંધ કરવાનો અને તેનું ઉત્પાદન લાઇસન્સ રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલે પ્રવર્તન નિદેશાલયે પણ કંપની સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડ્યા છે.

Join Our WhatsApp Channel

કોર્ટે જામીન અરજી શા માટે ફગાવી?

બાળ રોગ નિષ્ણાત ની જામીન અરજી પર સુનાવણી દરમિયાન સેશન કોર્ટના જસ્ટિસ એ જામીન આપવાનો ઇનકાર કરી દીધો. કોર્ટે કહ્યું કે, “એ જોતા કે ડૉક્ટરે સરકારી ચેતવણીઓ હોવા છતાં જાણી જોઈને એક ખતરનાક ભેળસેળવાળી દવા લખી અને તેને આપવાની મંજૂરી આપી, જ્યારે ડૉક્ટર જાણતા હતા કે તેના ઉપયોગને કારણે બાળકોમાં અનેક પ્રકારની તકલીફો થઈ શકે છે અને તેમનો જીવ પણ જઈ શકે છે.” કોર્ટે ડૉક્ટર દ્વારા સુરક્ષા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરીને બેદરકારી દાખવ્યાની વાત નોંધી.

આ સમાચાર પણ વાંચો : Kupwara: જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, ભારતીય સેનાએ આટલા આતંકવાદીઓને કર્યા ઠાર

ડીજીએચએસના આદેશોની અવગણના

પોલીસ રિપોર્ટ મુજબ, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીઝ (DGHS) એ દેશભરના ડૉક્ટરોને નિર્દેશ આપ્યો હતો કે 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશનની (FDCs) દવા ન આપવામાં આવે. તેમ છતાં, તે બાળ રોગ નિષ્ણાત ‘કોલ્ડ્રિફ સિરપ’ આપવાનું ચાલુ રાખ્યું, જેના કારણે બાળકોમાં પેશાબ અટકી જવો અને કિડની ફેલિયરની ફરિયાદો સામે આવી. રિપોર્ટમાં જણાવાયું છે કે સારવાર દરમિયાન જ 15 બાળકોના મોત થયા છે. પોલીસનો એવો પણ આરોપ છે કે બાળ રોગ નિષ્ણાત ને દરેક પ્રિસ્ક્રિપ્શન લખવા બદલ 10% કમિશન મળતું હતું.

Patiala Blast। પટિયાલામાં રેલવે ટ્રેક પર જોરદાર ધડાકો ટ્રેકને ભારે નુકસાન, એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ફેલાઈ સનસનાટી!
Arvind Kejriwal। ન્યાય મળવાની આશા તૂટી! જસ્ટિસ સ્વર્ણકાંતાની કોર્ટનો બહિષ્કાર કરશે અરવિંદ કેજરીવાલ? જાણો શું છે મામલો
Free Trade Agreement (FTA)| ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેપારનો નવો અધ્યાય! ૭૦ ટકા વસ્તુઓ થશે સસ્તી, જાણો કેવી રીતે બદલાશે આર્થિક સમીકરણો
Delhi Heat Wave। ભીષણ ગરમી સામે દિલ્હી તંત્ર સક્રિય હીટ વેવ એક્શન પ્લાન હેઠળ લેવાયા કડક નિર્ણય
Exit mobile version