આંતરરાષ્ટ્રીય સ્તરે ખેડૂતો આંદોલનની આબરૂ ગઈ : બ્રિટનની સંસદમાં કાવતરું નિષ્ફળ. બ્રિટને આ સ્ટેટમેન્ટ આપ્યું.

by Dr. Mayur Parikh

ભારતમાં છેલ્લા 100 દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને બ્રિટનની સંસદમાં ચર્ચા થઇ બ્રિટને જણાવ્યું છે કે કૃષિ નીતિ એ ભારત સરકારની આંતરિક બાબત છે. બ્રિટિશ સરકારે સાથોસાથ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત સરકાર અને ખેડૂતો વચ્ચે વિવાદાસ્પદ કૃષિ કાયદાઓના મામલે વાટાઘાટ થશે અને સકારાત્મક પરિણામ આવશે.

આ ચર્ચા એક ઓનલાઇન પિટિશન પર લોકોને મળેલ સમર્થન પછી થઇ છે. 

આ પિટિશનમાં બ્રિટિશ સરકારને અપીલ કરવામાં આવી છે કે તેઓ ભારત સરકાર પર આંદોલન કરી રહેલા ખેડૂતોની સુરક્ષા અને પ્રેસ ફ્રીડમને સુનિશ્ચિત કરવા માટે દબાણ બનાવો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More