News Continuous Bureau | Mumbai
Farmers Protest: ‘દિલ્હી ચલો’ અભિયાન ( Delhi Chalo March ) હેઠળ આજે ખેડૂતોનો વિરોધ આંદોલન દિલ્હી સુધી પહોંચવાનું છે. ખેડૂતોનું આ આંદોલન લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓને લઈને છે. આમાં ખેડૂતો ( Farmers ) સવારે 10 વાગ્યે દિલ્હી તરફ કૂચ શરૂ કરશે.
ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ પીયૂષ ગોયલ ( Piyush Goyal ) અને અર્જુન મુંડા ( Arjun Munda ) વચ્ચેની બેઠક સોમવારે મોડી રાત સુધી ચાલુ રહી પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું. જે બાદ ખેડૂતોએ આજે તેમના ‘દિલ્હી ચલો’ વિરોધને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે.
ખેડૂતો સાથેની વાતચીતમાં મોટાભાગના મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સરકારે ( Central Government ) કહ્યું છે કે, ખેડૂતો સાથેની વાતચીતમાં મોટાભાગના મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે અને એક સમિતિની રચના દ્વારા કેટલાક અન્ય મુદ્દાઓને ઉકેલવા માટે એક ફોર્મ્યુલા પ્રસ્તાવિત કરવામાં આવશે
આ સમાચાર પણ વાંચો : Maharashtra: હવે મુસાફરી ધુમાડા અને ધ્વનિ પ્રદુષણ મુક્ત થશે, MSRTC આ રૂટ પર દોડાવશે 20 ઈ-બસ.. જાણો કેટલું હશે ભાડું
એક રિપોર્ટ મુજબ, ખેડૂતોના વિરોધને જોતા દિલ્હીની લગભગ તમામ સરહદોને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે અને બંધ કરી દેવામાં આવી છે. તમામ સરહદો પર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તે વિસ્તારોમાં જામર લગાવીને ઈન્ટરનેટ ( Internet Closed ) અને એસએમએસની સુવિધા પણ બંધ કરી દેવામાં આવી છે.
પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હજારો ખેડૂતો 2500 ટ્રેક્ટર સાથે દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે.