Fast Track Immigration: વિદેશ યાત્રા કરતા લોકો માટે સારા સમાચાર, હવે લખનૌ સહિત દેશના 13 એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન સેવા ઉપલબ્ધ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાંચ વધુ એરપોર્ટ પર ‘ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન-ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ’ (FTI-TTP) નો શુભારંભ કર્યો, જેનાથી મુસાફરોની ઇમિગ્રેશન પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે.

by Dr. Mayur Parikh
Fast Track Immigration વિદેશ યાત્રા કરતા લોકો માટે સારા સમાચાર,

News Continuous Bureau | Mumbai
જે લોકો વારંવાર વિદેશ યાત્રા કરતા હોય છે તેમના માટે એક સારા સમાચાર છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશના પાંચ વધુ એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન: ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ (Fast Track Immigration: Trusted Traveller Program – FTI-TTP) ની શરૂઆત કરી છે. આ સેવા ખાસ કરીને ભારતીય નાગરિકો અને વિદેશી ભારતીય (Overseas Citizenship of India – OCI) કાર્ડ ધારકો માટે ઇમિગ્રેશન પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવા માટે બનાવવામાં આવી છે. આ પ્રોગ્રામનો હેતુ વૈશ્વિક સ્તરની મુસાફરીનો અનુભવ પૂરો પાડવાનો છે.

કયા 5 નવા એરપોર્ટ પર શરૂ થઈ સેવા?

આ નવી સેવા લખનઉ, તિરુવનંતપુરમ, તિરુચિરાપલ્લી, કોઝિકોડ અને અમૃતસર એરપોર્ટ પર શરૂ કરવામાં આવી છે. આ પહેલા આ સેવા જુલાઈ 2024 માં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શરૂ થઈ હતી. ત્યારબાદ મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચી અને અમદાવાદ જેવા મોટા એરપોર્ટ્સ પર પણ આ સેવા શરૂ કરવામાં આવી હતી. આ નવી શરૂઆત સાથે હવે દેશના કુલ 13 એરપોર્ટ પર આ સેવા ઉપલબ્ધ છે.

પ્રોગ્રામનો ઉદ્દેશ્ય અને તેના લાભો

FTI-TTP પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત@2047’ (Viksit Bharat@2047) વિઝન અંતર્ગત મુસાફરોને વિશ્વસ્તરીય ઇમિગ્રેશન સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ સેવાથી લાંબી લાઇનોમાં રાહ જોવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને મુસાફરીનો અનુભવ વધુ સરળ અને સુરક્ષિત બનશે. ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકોએ આ પ્રોગ્રામ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તેમાંથી 2.65 લાખ લોકોએ આ સુવિધાનો લાભ લીધો છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi: PM મોદીએ મોરેશિયસના PM સાથે કરી મુલાકાત, જાણો બંને વચ્ચે કયા કરારો પર થયા હસ્તાક્ષર

કેવી રીતે લઈ શકો છો આ સેવાનો લાભ?

આ સેવા મેળવવા માટે મુસાફરોએ ઓનલાઇન પોર્ટલ https://ftittp.mha.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. રજીસ્ટ્રેશન પછી, અરજદારનું બાયોમેટ્રિક ડેટા કાં તો ફોરેન રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસ (FRRO) માં અથવા એરપોર્ટ પર જ લેવામાં આવશે. રજીસ્ટર થયેલા મુસાફરોએ ઈ-ગેટ પર ફક્ત પોતાનો પાસપોર્ટ અને એરલાઇન દ્વારા આપવામાં આવેલ બોર્ડિંગ પાસ સ્કેન કરવાનો રહેશે. આ પ્રક્રિયા સફળ થતાં જ ઇ-ગેટ ખુલી જશે અને ઇમિગ્રેશન મંજૂરી મળી જશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More