Operation Ajay: ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે 212 ભારતીયોને લઈને દિલ્હી પહોંચી પ્રથમ ફ્લાઈટ, હજુ હજારો ભારતીયો છે ફસાયેલા..

Operation Ajay: ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારતના પ્રખ્યાત ઓપરેશન અજય હેઠળ ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લઇ જતી પ્રથમ ચાર્ટર ફ્લાઇટ આજે સવારે નવી દિલ્હી પહોંચી હતી.

by Janvi Jagda
First flight carrying 212 Indian nationals from Israel, lands at Delhi airport

News Continuous Bureau | Mumbai 

Operation Ajay: ઈઝરાયેલના યુદ્ધક્ષેત્ર (Israel Palestine Conflict) માં ફસાયેલા ભારતીયો (Indians) ને બહાર કાઢવા માટે ભારત સરકારે ‘ઓપરેશન અજય’ (OPeration Ajay) શરૂ કર્યું છે. આ હેઠળની પ્રથમ વિશેષ ફ્લાઇટ (First special flight) ગુરુવારે સાંજે 9 વાગ્યે બેન ગુરિયન એરપોર્ટથી ભારત માટે 212 મુસાફરોને લઈને ઉડાન ભરી હતી. આ વિમાન આજે સવારે 6 વાગ્યે ભારત (India) પહોંચી ગયું હતું.

પ્રથમ ફ્લાઈટ દિલ્હી પહોંચી

જ્યાં ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું તે ઈઝરાયેલ (Israel) થી ફસાયેલા ભારતીયોને લઈ જતું પહેલું વિમાન ભારતમાં લેન્ડ થયું. ભારત સરકાર ‘ઓપરેશન અજય’ હેઠળ આ અભિયાન ચલાવી રહી છે. ઇઝરાયેલના તેલ અવીવમાં ભારતીય નાગરિકોની મોટી ભીડ જોવા મળી રહી છે. હજારો ભારતીયો પોતાના વતન પરત જવા માટે દોડી રહ્યા છે. તેમાં 212 મુસાફરો સાથેની પ્રથમ ફ્લાઈટ દિલ્હી (Delhi) પહોંચી છે. આ વખતે, મુસાફરોએ એરપોર્ટ પર ઉતરતી વખતે ઇઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલાની યાદો યાદ કરી. તેમણે માતૃભૂમિમાં ઉતરવાની ખુશી પણ વ્યક્ત કરી હતી. ઘણા તેમના નાના બાળકો સાથે ભારત પાછા ફર્યા. ત્યારે સૌએ ભારત સરકારનો પણ આભાર માન્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Long Hair : શું તમને લાંબા વાળ જોઈએ છે તો આ 6 વસ્તુઓ ખાઓ, 3 દિવસમાં જ દેખાશે ફરક

માદરે વતન પહોંચતાની સાથે જ અનેક લોકોની આંખોમાં આંસુ

વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટર પર પ્લેનમાંથી ઉતરેલા ભારતીયોના ફોટા (ઓપરેશન અજય) પણ શેર કર્યા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે મુસાફરો સાથે વાતચીત કરી. માદરે વતન પહોંચતાની સાથે જ અનેક લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. ભારતીયોમાં એવી લાગણી હતી કે આપણે એક મહાન સંકટમાંથી બહાર આવ્યા છીએ, આપણા લોકો પાસે આવ્યા છીએ, આપણી ધરતી પર ઉતર્યા છીએ.

ઉલ્લેખનીય છે કે ગત શનિવાર 7 ઓક્ટોબરથી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. આ રીતે ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં નાગરિક વસાહતોને નિશાન બનાવી હતી. ગાઝા પટ્ટીના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલ દ્વારા જબિલિયા શરણાર્થી કેમ્પ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ભારત સરકારે આ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નોકરી, શિક્ષણ અને અન્ય કારણોસર ઇઝરાયેલમાં અટવાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવાનો નિર્ણય લીધો છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More