Site icon

અરબી સમુદ્રમાં ગુજરાત કિનારે ગોળીબાર; પાડોશી દેશની નાપાક હરકત; એક માછીમારનું મોત: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 8 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

 

અરબી સમુદ્રમાં ગુજરાતના કિનારે ગોળીબાર થયો હતો. આ નાપાક કૃત્ય બીજા કોઈએ નહિ પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી(PMSA)ના જવાનોએ કર્યું છે. જેને લીધે મહારાષ્ટ્રના એક માછીમારનું મોત થયું છે, જ્યારે અન્ય એક ઘાયલ થયો છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર 5 નવેમ્બરના રોજ 4 વાગે PMSAના જવાનોએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે બોટ પર થયો હતો. ઘટના અંગે માહિતી આપતાં દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના થાણેનો એક માછીમાર બોટમાં સવાર હતો. તે માછીમારી કરવા ગયો હતો. આ ફાયરિંગમાં તેનું મોત થયું હતું. જ્યારે બોટમાં 7 ક્રૂ મેમ્બર હાજર હતા. જેમાંથી એક ઘાયલ થયો છે.

 

મળેલી માહિતી મુજબ પોલીસે ઘટના વિશે વિગત આપતા જણાવ્યું હતું કે, મૃતક માછીમારનું નામ શ્રીધર રમેશ છામરે (32 વર્ષ) છે. 7 નવેમ્બરે તેમના મૃતદેહને ઓખા બંદરે લાવવામાં આવ્યો હતો. પોરબંદર નવીબંદર પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે. ગુજરાતમાં અરબી સમુદ્રમાં 12 નોટિકલ માઈલ સુધીની રેન્જમાં બનતી ઘટના નવીબંદર પોલીસના વિશેષાધિકાર હેઠળ આવે છે. ACPએ જણાવ્યું હતું કે છામરે 25 ઓક્ટોબરના રોજ મરમેઇડ બોટમાં સાત સભ્યો સાથે ઓખાથી નીકળ્યા હતા. જેમાં ગુજરાતના 5 અને મહારાષ્ટ્રના બે સભ્યોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

 

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
Exit mobile version