ગણતંત્ર દિવસ પરેડ: રાજપથ પર જોવા મળશે અદભુત નજારો, ફ્લાયપાસ્ટમાં પહેલીવાર એકસાથે ઉડશે આટલા ફાઇટર એરક્રાફ્ટ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 જાન્યુઆરી 2022          

બુધવાર. 

કોરોના મહામારીની વચ્ચે ભારત આજે  73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. 

આ વર્ષે 26 જાન્યુઆરીએ યોજાનારા ગણતંત્ર દિવસ સમારોહમાં ભારતીય વાયુસેનાના 75 વિમાન આકાશમાં પ્રથમ વખત ઉડાન ભરતા નજરે આવશે. 

રાજપથ પર યોજાનારી આ અત્યાર સુધીની સૌથી ભવ્ય ફ્લાયપાસ્ટ હશે.

રક્ષા મંત્રાલયના જણાવ્યાનુસાર ગ્રાન્ડ ફિનાલે અને પરેડના ‘ફ્લાય-પાસ્ટ’ વિભાગમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ભારતીય વાયુસેનાના 75 વિમાનો પ્રથમ વખત ઉડતા જોવા મળશે.

રાફેલ, સુખોઈ, જગુઆર, એમઆઈ-17, સારંગ, અપાચે અને ડકોટા જેવા જૂના અને વર્તમાન આધુનિક એરક્રાફ્ટ ફ્લાય-પાસ્ટમાં રાહત, મેઘના, એકલવ્ય, ત્રિશુલ, તિરંગા, વિજય અને અમૃત સહિતની વિવિધ રચનાઓ પ્રદર્શિત કરશે.

આજનો ઐતિહાસિક દિવસ – ભારતનો આજે 73મો ગણતંત્ર દિવસ, જાણો શું છે ઈતિહાસ અને મહત્વ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More