232
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
12 મે 2020
87 વર્ષીય ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમનું મેડિકલ ચેકઅપ કરાયા બાદ ડોક્ટરોએ કહ્યું હતું કે 'તેઓ સ્વસ્થ છે અને ઘરે જઈ શકે એમ છે'. નોંધનીય છે કે બે દિવસ અગાઉ મનમોહન સિંહને કોઈ નવી દવાનું રિએકશન આવતાં તેમ જ તાવ પણ આવતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં. અહીં તેમનો કોરોના વાયરસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 2009માં તેઓ વડાપ્રધાન હતા તે વેળા અહીં જ તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી..
You Might Be Interested In