Site icon News Continuous Bureau | Mumbai

લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચનો પ્રવાસ થશે ‘કૂલ’, ભાડું પણ રહેશે ઓછું; જાણો રેલવેએ શું નિર્ણય લીધો છે

Railway News : Increase in facility, pantry car facility made available in this weekly express train..

Railway News : સુવિધામાં વધારો, આ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનમાં ઉપલબ્ધ કરવામાં આવી પેન્ટ્રી કારની સુવિધા..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 16 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

લાંબા અંતરની ટ્રેનના જનરલ કોચમાં પ્રવાસ કરનારાઓ માટે રાહતના સમાચાર છે. પ્રવાસીઓને ઓછા ટિકિટ ભાડામાં એસી કોચમાં સફરનો આનંદ મળી શકે છે. આ જનરલ કોચને એસી કંપાર્ટમેન્ટમાં બદલવાની તૈયારી રેલવે કરી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ એસી કોચમાં 100-120 પ્રવાસીઓ માટે બેસવાની વ્યવસ્થા હશે અને સામાન્ય લોકો પણ આ ડબ્બામાં પ્રવાસ કરી શકશે. આ કોચ પૂર્ણ રીતે આરક્ષિત હશે અને તેમાં બંધ થતા દરવાજા હશે. રેલ્વે મંત્રાલયમાં આ યોજના પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. પ્રથમ એસી જનરલ ક્લાસના કોચનું નિર્માણ પંજાબના કપૂરથલામાં રેલ્વે કોચ ફેક્ટરીમાં કરવાની સંભાવના છે.

જોકે રાજધાની, શતાબ્દી અને વંદે ભારત જેવી મુખ્ય ટ્રેનોને છોડીને તમામ લાંબા અંતરની ટ્રેનોમાં કોરોના મહામારીથી પહેલા અનારક્ષિત સામાન્ય કોચ હતા. 

સામાન્ય જનતા મોંઘવારીમાં પિસાઈ, ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો પાંચ મહિનાની ટોચે; જાણો નવેમ્બરમાં શું હાલ હશે

તાજેતરમાં રેલ્વેએ સ્લીપર ક્લાસ કોચમાં પ્રવાસ કરવાનો વિકલ્પ પસંદ કરનારાઓ માટે એસી-3 ટીયરથી ઓછું ભાડું ધરાવતા એસી ઇકોનોમી ક્લાસ કોચની રજૂઆત કરી છે. રેલ્વેએ એક ઓલ-એસી ઇકોનોમી ટ્રેનની પ્રથમ સેવા પણ શરૂ કરી છે. જો રેલ્વેની યોજના સફળ થાય છે તો આમ આદમીને ઓછા ભાડા માં જ એસીનો આનંદ મળી શકે છે.

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version