Site icon

ઘાટકોપર વાંદરાઓથી ત્રસ્ત, જીવદયાપ્રેમીઓ ખાવાનું નાખે છે અને વાંદરાઓ વિસ્તાર છોડતા નથી; જાણો મુંબઈના ઘાટકોપરના હાલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈના ઘાટકોપર અને વિદ્યાવિહારમાં વાંદરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. એને પગલે લોકો અને ખસ કરીને બાળકો ધોળે દિવસે પણ બહાર નીકળતાં ગભરાવા લાગ્યાં છે. વાંદરાઓના આ ત્રાસથી બચવા લોકોએ જાળી બેસાડવાનો વારો આવ્યો છે અને આખો દિવસ બારી-બારણાં બંધ રાખવાં પડે છે. બીજી તરફ જીવદયાપ્રેમીઓ આ વાંદરાઓનેસતત ખોરાક પૂરો પાડે છે, એથી વાંદરાઓ અહીંથી જવાનું નામ લેતા નથી.

વાંદરાઓ માટે આ વિસ્તાર એવો પોતીકો બની ગયો છે કે વાંદરાઓ ગમેત્યારે કોઈના પણ ઘરમાં ઘૂસી કિચનમાંથી મનપસંદ વસ્તુ ચટ કરી જાય છે. ઘાટકોપરના પ્રમોદ મહાજન ગાર્ડન પાસે પણ અવારનવાર વાંદરાઓ તમાશો કરે છે. ઘણા લોકો બાળકો સાથે આ જોવા નીકળી પડે છે, તો બીજી તરફ બાઇક પર પસાર થતા લોકો આ વાંદરાથી ખૂબ ડરે છે, કારણ કે વાંદરા બાઇકની પાછળ દોડે છે.

પર્યાવરણ : તાનસા અભયારણ્યમાંથી સાગનાં વૃક્ષોની તસ્કરી, 70વૃક્ષ ગાયબ થયાં

વાંદરાઓ આસપાસની સોસાયટીમાં રમતાં બાળકોને અને મહિલાના પગ પકડી લે છે, તો ઘણીવાર નખ મારીને છૂ થઈ જાય છે. વાંદરાને ભગાડવા માટે લોકોએ વગર દિવાળીએ ઘરમાં ફટાકડા રાખવાની શરૂઆત કરી છે. વાંદરાઓ જો આતંક મચાવે તો ફટાકડા ફોડી તેમને ભગાડવામાં આવે છે. લોકોએ ઘણીવાર વન વિભાગમાં પણ આ વિશે ફરિયાદ નોંધાવી છે, પરંતુ તેમના તરફ હજી આ વાંદરાઓને પકડવા કોઈ આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે માનવોએ જંગલ તોડીને સિમેન્ટ કૉન્ક્રીટનાં બિલ્ડિંગો બાંધ્યાં છે,એથી આ વાંદરાઓનું ઘર છીનવાયું છે એટલે તેઓ માનવવસ્તીમાં રહેવા આવી ગયા છે. ઉપરાંત જીવદયાપ્રેમીઓ તેમને સમયસર ખાવાનું આપતા હોવાથી તેઓ અહીંથી જવાનું નામ લેતા નથી. જુઓ વીડિયો.

 

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
Exit mobile version