PM Modi Gold Purchase Appeal। સોનાના વેપારીઓની ઉંઘ હરામ! પીએમ મોદીની ‘No Gold’ ની વાતથી જ્વેલરી સેક્ટરમાં હાહાકાર; શું ખરેખર ૧ કરોડ કારીગરો બેરોજગાર થશે?

PM Modi Gold Purchase Appeal। સોનાની ખરીદી અટકાવવાથી ૩ લાખ કરોડનું ટર્નઓવર ઘટવાની ભીતિ, જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલના પદાધિકારીઓ આજે PMO ના અધિકારીઓને મળશે.

by Zalak Parikh
PM Modi Gold Purchase Appeal। સોનાના વેપારીઓની ઉંઘ હરામ! પીએમ મોદીની ‘No Gold’ ની વાતથી જ્વેલરી સેક્ટરમાં હાહાકાર; શું ખરેખર ૧ કરોડ કારીગરો બેરોજગાર થશે?

 

News Continuous Bureau | Mumbai

PM Modi Gold Purchase Appeal। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી લગ્નપ્રસંગો માટે સોનાની ખરીદી (Gold Purchase) ટાળવાની અને પેટ્રોલડીઝલનો વપરાશ ઘટાડવાની કરેલી અપીલ બાદ દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. પીએમની આ જાહેરાતથી ખાસ કરીને જ્વેલરી ઉદ્યોગના વેપારીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC) એ આશંકા વ્યક્ત કરી છે કે જો સોનાની માંગમાં આ પ્રકારે ઘટાડો થશે તો આ ઉદ્યોગ સાથે જોડાયેલા ૧ કરોડથી વધુ લોકોના રોજગાર પર સીધી અસર પડી શકે છે.

જ્વેલરી ઉદ્યોગની ઉથલપાથલ અને આર્થિક નુકસાન

GJC ના જણાવ્યા અનુસાર, દેશમાં જ્વેલરી ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર અંદાજે ૧૦ લાખ કરોડ રૂપિયા છે. પીએમ મોદીની અપીલ બાદ આ ઉલાઢાલમાં સીધો ૩૦ ટકા એટલે કે આશરે ૩ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે. વેપારીઓ માને છે કે સોનાની ખરીદી એ ભારતીય સંસ્કૃતિ અને લગ્નોનો અભિન્ન ભાગ છે, અને તેના પરનો પ્રતિબંધ કે આવી અપીલ લાખો પરિવારોની આજીવિકા છીનવી શકે છે. આ મુદ્દે આજે જ્વેલરી એસોસિએશનના પદાધિકારીઓ વડાપ્રધાન કાર્યાલય (PMO) ના અધિકારીઓ સાથે મુલાકાત કરી પોતાની ચિંતા રજૂ કરશે.

હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ

પીએમ મોદીની આ અપીલ પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક પરિસ્થિતિ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ હોવા છતાં હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં તણાવ યથાવત છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની (Crude Oil) કિંમતોમાં ૩.૩૦ ટકાનો ઉછાળો નોંધાયો છે, જેનાથી તેલ ૧૦૪ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે. ભારત તેલ, ગેસ અને સોનાની આયાત ડોલરમાં કરે છે, જેના કારણે વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserves) પર ભારે દબાણ આવી રહ્યું છે.

પીએમ મોદી દ્વારા આપવામાં આવેલો સાવચેતીનો મંત્ર

વડાપ્રધાને દેશના અર્થતંત્રને સ્થિર રાખવા માટે સાત મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો છે. જેમાં સોનાની ખરીદી ટાળવી, પેટ્રોલ-ડીઝલનો ઓછો વપરાશ, વર્ક ફ્રોમ હોમને (WFH) પ્રાથમિકતા, વિદેશ પ્રવાસ ટાળવો અને ખાદ્ય તેલનો ઉપયોગ ઘટાડવાનો સમાવેશ થાય છે. આ આર્થિક મંત્રનો હેતુ ડોલરની બચત કરવાનો અને રૂપિયાને વધુ નબળો પડતો અટકાવવાનો છે. સરકારના આ પગલાંને ભવિષ્યના સંભવિત આર્થિક આંચકાઓ સામે રક્ષણ મેળવવા માટેના ‘સાવચેતીના ઉપાય’ તરીકે જોવામાં આવી રહ્યું છે.

👉 આ સમાચાર વાચો:
Maharashtra Heatwave Alert। આકરી ગરમી અને હીટવેવની આગાહી, બપોરે ૧૨ થી ૪ લૂ લાગવાનું જોખમ! હવામાન વિભાગે જાહેર કરી કડક માર્ગદર્શિકા

Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More