બજેટ 2022 પહેલા મોદી સરકારનો મોટો નિર્ણય, અમદાવાદમાં ભણેલા આ અધિકારીને  મુખ્ય આર્થિક સલાહકાર પદે કર્યા નિયુક્ત; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,29 જાન્યુઆરી 2022          

શનિવાર 

બજેટ 2022 પહેલા કેન્દ્ર સરકારે નવા મુખ્ય આર્થિક સલાહકારની નિમણુંક કરી છે. 

સરકારે મુખ્ય આર્થિક સલાહકાર તરીકે ડો.વી અનંત નાગેશ્વરનની નિમણુંક કરી છે. 

ડો.નાગેશ્વરન આ પહેલા લેખક, શિક્ષણ અને એડવાઈઝર તરીકે કામ કરી ચુકયા છે.

તેઓ કરા યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સના વિઝિટિંગ પ્રોફેસર રહી ચુક્યા છે. 

તેમણે અમદાવાદ આઈઆઈએમમાંથી પીજી ડિપ્લોમા તેમજ મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીમાંથી ડોકટરેટની ડિગ્રી મેળવી છે.

આ પહેલા દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે. સુબ્રમણ્યમે 3 વર્ષ સુધી આ પદ પર સેવા આપ્યા બાદ ડિસેમ્બર મહિનામાં રાજીનામુ આપ્યુ હતુ. એ પછી આ પદ ખાલી હતું.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More