કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટને આટલા લાખ રસીઓની નિકાસ કરવાની આપી મંજૂરી, વિશ્વના આ 4 દેશોને મળશે ભારતની સ્વદેશી રસી; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 નવેમ્બર  2021 

સોમવાર.

કેન્દ્ર સરકારે સીરમ ઈન્સટીટ્યુટ ઓફ ઈન્ડિયાને તેમની કોરોના રસી કોવિશીલ્ડના નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે.  

પ્રાપ્ત જાણકારી મુજબ સરકારે સીરમને નેપાળ, તાજિકિસ્તાન અને મોઝામ્બિકમાં સીરમના 50 લાખ ડોઝની નિકાસને મંજૂરી આપી છે. 

સરકારે સીરમ ઈન્સ્ટીટ્યુટને સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત કોવેક્સ ગ્લોબલ રસી કાર્યક્રમ અંતર્ગત મંજૂરી આપવામાં આવી છે. 

આ ત્રણ દેશો ઉપરાંત કોવિશિલ્ડ બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવશે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ 23 નવેમ્બરથી કોવેક્સ પ્રોગ્રામ હેઠળ કોવિડ રસીની નિકાસ કરવાનું શરૂ કરશે.

નેપાળને 24 નવેમ્બરે કોવિશિલ્ડનું પ્રથમ કન્સાઇનમેન્ટ પ્રાપ્ત થશે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ ઓક્ટોબરમાં, સરકારે સીરમને નેપાળ, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં કોવિશિલ્ડના 10 લાખ ડોઝની નિકાસ કરવાની મંજૂરી આપી હતી.

ભારત સરકારની રાષ્ટ્રીય વાયોશ્રી યોજના હેઠળ મલાડમાં વરિષ્ઠ નાગરિકોને જરૂરી સાધનોનું વિતરણ.. જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More