Site icon

દેશમાં સંપૂર્ણ લોકડાઉનનો હાલ કોઈ જ વિચાર નથી. નાણામંત્રી નિર્મલા સીતારામન નું નિવેદન. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 14 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

બુધવાર.

    એક તરફ દેશમાં વધતા કોરોના ના પ્રકોપને કારણે ચારે બાજુ લોકડાઉનની ચર્ચા થઈ રહી છે. ત્યાં જ નાણામંત્રી નિર્મલા સીતારામને જાહેર કર્યું છે કે, 'સરકારનો વ્યાપક સ્તર પર લોકડાઉન લાગુ કરવાનો કોઈ જ વિચાર નથી. જ્યારે આ મહામારી ને રોકવા ફક્ત સ્થાનિક સ્તર પર પ્રતિબંધો લાગુ કરવામાં આવશે.'

    નાણામંત્રી નિર્મલા સીતારમને કોરોના વાયરસ મહામારીને ફરીથી ફેલાવતું રોકવા માટે પાંચ સુત્રી રણનીતિ અપનાવવાનું સૂચન કર્યું હતું. જેમાં ટેસ્ટ, તપાસ કરવી, ઉપચાર કરવો, ટીકાકરણ અને કોવિડ 19ને ફેલાવતા રોકવા માટે ઘડવામાં આવેલા નિયમો નું પાલનનો સમાવેશ થાય છે.

કોરોનાને બાજુમાં મૂકીને હજારો લોકો ગયા કુંભ સ્નાન કરવા. જાણો વિગત

    નાણામંત્રીએ વધુમાં જણાવ્યા મુજબ, 'કોરોનાની બીજી લહેર પહેલી લહેર કરતા વધારે ઘાતક પુરવાર થઇ રહી છે તે છતાં પણ અમે વ્યાપક સ્તર પર લોકડાઉન નહીં કરીએ. અમે ભારતની અર્થવ્યવસ્થાને પૂર્ણ રૂપથી ઠપ્પ કરવા માંગતા નથી. સ્થાનિક સ્તર પર કોરોનાના દર્દીઓને અથવા એના પરિવારજનો ને અલગ રાખવા ના ઉપાય કરવામાં આવશે. તેમજ કોરોના પર નિયંત્રણ લાવવાના ઉપાયો દ્વારા આ સંકટથી બહાર આવવાના પ્રયત્નો કરીશું.'

Congress Rajya Sabha Candidates List: શું કોંગ્રેસની આ યાદી રાજ્યસભાનું ગણિત બદલી નાખશે? સિંઘવી સહિત ૬ નામો પર લગાવ્યો દાવ; બે રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીએ બધાને વિચારતા કરી દીધા.
US Firing Missiles from Indian Ports?: દુનિયામાં ચર્ચા, પણ ભારતનું વલણ સ્પષ્ટ! ભારતીય બંદરો અને અમેરિકી મિસાઈલના દાવા પાછળનું શું છે રહસ્ય? વાંચો વિદેશ મંત્રાલયનો ખુલાસો
Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
Exit mobile version