Site icon

દેશમાં સંપૂર્ણ લોકડાઉનનો હાલ કોઈ જ વિચાર નથી. નાણામંત્રી નિર્મલા સીતારામન નું નિવેદન. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 14 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

બુધવાર.

    એક તરફ દેશમાં વધતા કોરોના ના પ્રકોપને કારણે ચારે બાજુ લોકડાઉનની ચર્ચા થઈ રહી છે. ત્યાં જ નાણામંત્રી નિર્મલા સીતારામને જાહેર કર્યું છે કે, 'સરકારનો વ્યાપક સ્તર પર લોકડાઉન લાગુ કરવાનો કોઈ જ વિચાર નથી. જ્યારે આ મહામારી ને રોકવા ફક્ત સ્થાનિક સ્તર પર પ્રતિબંધો લાગુ કરવામાં આવશે.'

    નાણામંત્રી નિર્મલા સીતારમને કોરોના વાયરસ મહામારીને ફરીથી ફેલાવતું રોકવા માટે પાંચ સુત્રી રણનીતિ અપનાવવાનું સૂચન કર્યું હતું. જેમાં ટેસ્ટ, તપાસ કરવી, ઉપચાર કરવો, ટીકાકરણ અને કોવિડ 19ને ફેલાવતા રોકવા માટે ઘડવામાં આવેલા નિયમો નું પાલનનો સમાવેશ થાય છે.

કોરોનાને બાજુમાં મૂકીને હજારો લોકો ગયા કુંભ સ્નાન કરવા. જાણો વિગત

    નાણામંત્રીએ વધુમાં જણાવ્યા મુજબ, 'કોરોનાની બીજી લહેર પહેલી લહેર કરતા વધારે ઘાતક પુરવાર થઇ રહી છે તે છતાં પણ અમે વ્યાપક સ્તર પર લોકડાઉન નહીં કરીએ. અમે ભારતની અર્થવ્યવસ્થાને પૂર્ણ રૂપથી ઠપ્પ કરવા માંગતા નથી. સ્થાનિક સ્તર પર કોરોનાના દર્દીઓને અથવા એના પરિવારજનો ને અલગ રાખવા ના ઉપાય કરવામાં આવશે. તેમજ કોરોના પર નિયંત્રણ લાવવાના ઉપાયો દ્વારા આ સંકટથી બહાર આવવાના પ્રયત્નો કરીશું.'

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version