ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
1 જૂન 2020
દેશને આત્મનિર્ભર બનાવવા સ્વદેશી પ્રોડક્ટને પ્રોત્સાહન આપનાવવા પ્રાઈમ મિનિસ્ટર મોદી દ્વારા હાંકલ કરવામાં આવી છે. દેશની પેરામિલિટરી ફોર્સે આત્મનિર્ભર બનવા તરફ પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. પ્રથમ તબક્કામાં એક હજારથી વધારે વિદેશી ઉત્પાદકના ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. જેમાં માઇક્રોવેવ, ફૂટવેર, કપડા, એફએમસીજી સહિત પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. ગૃહ મંત્રાલયે 7 કંપનીઓને ડિલિસ્ટ કરી છે. જ્યારે પેરામિલિટરી ફોર્સ માં સીઆરપીએફ, બીએસએફ, આઈટીબીપી, સીઆઇએસએફ, એનએસજી, અસમ રાઇફલસના લગભગ 10 લાખથી વધારે સૈનિકોના પરિવારના મળી કુલ 50 લાખથી વધુ લોકો સેન્ટ્રલ પોલીસમાંથી ચીજ વસ્તુઓ ખરીદે છે.
ગૃહમંત્રાલય સ્વદેશી ને પ્રોત્સાહન આપવા માટે ત્રણ કેટેગરી બનાવી છે જેમાં સૌથી વધારે પ્રાથમિકતા એવા ઉત્પાદકોને મળશે જે સંપૂર્ણપણે ભારતમાં જ બન્યા હોય. બીજી કેટેગરીમાં કાચો માલની આયાત કરવામાં આવી હોય પરંતુ વસ્તુનું ઉત્પાદન ભારતમાં થયું હોય અને ત્રીજી કેટેગરીમાં વિદેશી ઉત્પાદન ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે..