ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઓગસ્ટ, 2021
ગુરુવાર
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઈસરો આજે એક નવો ઈતિહાસ રચવાથી ચૂકી ગયું છે.
ભારતીય અંતરિક્ષ અનુસંઘાન સંગઠનના પૃથ્વીનુ ઓબ્ઝર્વેશન કરનાર ઉપગ્રહ EOS-03 ને ગુરૂવારે સવારે લોંચ કરવામાં આવ્યુ.
જો કે લોન્ચના થોડીવાર પછી ISRO ચીફ સિવને કહ્યુ કે ક્રાયોજેનિક સ્ટેજમાં થયેલ તકનીકી ખરાબીને કારણે ઇસરોનું GSLV-F10/EOS-03 મિશન પૂરું થઈ શક્યું નથી.
રિપોર્ટ મુજબ 2017 પછી ઈસરો દ્વારા આ પ્રથમ વખત મિશન નિષ્ફળ રહ્યું છે. અગાઉ ઈસરોના 14 વખત મિશન નિષ્ફળ રહ્યા છે.
ફેબ્રુઆરીમાં બ્રાઝીલના- અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ એમેઝોનિયા-1 અને 18 અન્ય નાના સેટેલાઈટના પ્રક્ષેપણ પછી 2021માં ઈસરોનું આ બીજું પ્રક્ષેપણ હતું.
ઉલ્લેખનીય છે કે, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટની મુખ્ય વિશેષતા એ હતી કે તે પસંદગી કરેલા કોઈપણ ક્ષેત્રની વાસ્તવિક સમયની છબિઓ સતત અંતરાળ પર મોકલતું રહેતું. તે પ્રાકૃતિક આપત્તિઓની સાથોસાથ કોઈ પણ પ્રકારની નાની ઘટનાઓને તાત્કાલિક નજર રાખવામાં મદદરૂપ થતું.
આ ઉપગ્રહ કૃષિની સાથોસાથ કુદરતી આપત્તિની ચેતવણી, વાદળ ફાટવા કે વાવાઝોડા સહિત વિભિન્ન ક્ષેત્રોની મહત્ત્વપૂર્ણ જાણકારી આપવામાં સક્ષમ હતો