Site icon

નીતિન પટેલના શબ્દો : મેં મહેસાણાનું પાણી પીધું છે, મને કોઈ કાઢી શકે એમ નથી; જાણો મુખ્ય મંત્રીપદ ફરી ચૂકી ગયા બાદ નીતિન પટેલે શું કહ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર

ગુજરાતના મુખ્ય મંત્રીપદ માટેની રેસમાં રાજ્યના કાર્યકારી મુખ્ય મંત્રી નીતિન પટેલનું નામ સહુથી આગળ હતું. જે નામની દૂર દૂર સુધી કોઈ ચર્ચા ન હતી એવા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું. એથી ફરી વાર આ રેસમાં પાછળ રહી ગયેલા નીતિન પટેલે પોતાની હૈયાવરાળ બહાર કાઢી છે. 

Join Our WhatsApp Community

મમતા બેનર્જી પાસે છે આટલી સંપત્તિ, સોનું અને પૈસા; હવે લડી રહ્યાં છે પેટાચૂંટણી, એફિડેવિટમાં વિગત બહાર આવી

બળાપો ઠાલવતાં પોતાના પહેલાં નિવેદનમાં નીતિન પટેલે કહ્યું હતું કે 'હું મહેસાણાનું પાણી પીધેલો અસલ પાટીદાર છું. મને કોઈ કાઢી શકે એમ નથી. ૩૦ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છું. અનેક ઉતાર-ચઢાવ મેં જોયા છે. નવનિર્માણ આંદોલન હોય કે કૉન્ગ્રેસની સરકારનો સમય, મેં ખૂબ ડંડા ખાધા છે. હું પક્ષનો એક નાનકડો કાર્યકર્તા છું અને રહીશ. કોઈના કહેવાથી હું જતો નથી રહેવાનો. આજે હું જે કંઈ પણ છું એ મહેસાણા અને કડીને કારણે છું. એથી આ જનતાના હૃદયમાં છું ત્યાં સુધી મને કોઈ હલાવી શકે તેમ નથી.'

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version